________________
-૧૬૩
કથંચિત્ માન્યું, તે “સમ્યકત્વ” પણ કર્થચિત્ માનવું પડે જ. કેમકે જ્યાં “જ્ઞાન” માનવામાં આવે, ત્યાં સમ્યકત્વ પણ માનવું જ પડે. એવા જ હિસાબે મિશ્રગુણસ્થાનમાં ક્ષાપશમિક ભાવના ભેદ તરીકે સમ્યકત્વને “મિશ્ર' વિશેષણથી નવાજવામાં આવ્યું હશે! વાસ્તવિક રીતે તે “મિશ્ર સમ્યગ્દષ્ટિ અને સમ્યજ્ઞાનશાલી નથી.
અવિરત-સમ્યગ્દષ્ટિમાં લાપશમિક ભાવના બાર ભેદ મિશ્ર ગુણસ્થાનની જેમ સમજવા. ફરક એટલે કે “મિશ્ર' સમ્યકત્વના સ્થાને અહીં ક્ષાપથમિક સમ્યકત્વ ગણવું.
દેશ-વિરતમાં, ચતુર્થ ગુણસ્થાનના ઉક્ત બાર ભેદમાં દેશવિરતિને પ્રક્ષેપ કરતાં તેર ભેદે ક્ષાપશમિક ભાવના સમજવા.
છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનમાં ચંદ ભેદ ક્ષાપશમિક ભાવના સમજવા. પૂર્વોક્ત (દેશવિરતિના ) તેર ભેદમાંથી દેશવિરતિ કાઢી નાંખવી. અને સર્વવિરતિ તથા મન:પર્યાય જ્ઞાનને ઉમેરે કરે. - ' આઠમા-નવમા-દશમા ગુણસ્થાનોમાં તેર ભેદે ક્ષાપશમિક ભાવના સમજવા. પૂર્વોક્ત (છડૂા-સાતમાને) ચાદ ભેદોમાંથી ક્ષાપશમિક સમ્યકત્વ કાઢી નાંખવું.
અગ્યારમા–બારમાં ગુણસ્થાનમાં બાર ભેદે ક્ષાપશમિક ભાવના સમજવા. પૂર્વોક્ત તેરમાંથી લાપશમિક ચારિત્ર અલગ કરવું. કેમકે અગ્યારમામાં
પશમિક ચારિત્ર અને બારમામાં ક્ષાયિક ચારિત્ર હેય. દર્શનત્રિક, જ્ઞાનચતુષ્ટય, અને લબ્ધિ-પંચક એમ બાર ભેદ ક્ષાપશમિક ભાવના અગ્યારમામાં અને બારમામાં હોય છે. બસ, અહીં સુધી જ લાપશમિક ભાવ હોય છે. તેરમામાં અને ચક્રમામાં ક્ષાપશમિકભાવ મુદ્દલ નથી. ગુણસ્થાનમાં ઔદયિક ભાવના ભેદો.
પ્રથમ ગુણસ્થાનમાં ઔદયિક ભાવના તમામ (૨૧) ભેદ પ્રાપ્ત થાય છે.
સાસાદન ગુણસ્થાનમાં મિથ્યાત્વ વગર ૨૦. મિશ્ર ગુણસ્થાનમાં અજ્ઞાન વગર ૧૯. અવિરતિ–સમ્યગ્દષ્ટિમાં પણ તે જ મુજબ ૧૯ (ત્રણ વેદ, ચાર કષાય, ચાર ગતિઓ, છ લેશ્યા, અસંયમ અને અસિદ્ધત્વ એ ઓગણીશ). દેશવિરતિમાં ૧૭ (એ ઓગણીશમાંથી દેવગતિ–શ્વબ્રગતિ એ બે કાઢી નાંખતાં ૧). કેમકે દેવગતિ અને ધબ્રગતિમાં દેશવિરતિ નથી હોતી.
પ્રમત્તમાં ૧૫ (એ સત્તરમાંથી તિર્યગતિ અને અસંયમ એ બે કાઢી નાખવા). તિયંગ્યતિમાં દેશવિરતિ સુધીજ ગુણસ્થાને હેય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org