________________
આદિના ગઢ કરતા અને અનન્ન લેકમી પાથરતા, પણ ભગવાનને અંગ પર–એક પણ અગે પાંગ પર-જરા પણ આભૂષણ હેતા પહેરાવતા. ઇન્દ્રા પાસે કઈ બેટ હતી? નહિ, પણ તેઓ વિવેકી હોય છે. તેઓ સમજે છે કે સભા-સ્થાનને સુવર્ણાદિથી ગમે તેટલું મઢી શકાય, પણ વીતરાગના અંગ પર તે કંઇ પણ આભૂષણ ન ચડે. તેઓ સમજે છે કે અલંકાર પહેરાવીને તેમને ગૃહસ્થના દેખાવમાં ન મૂકાય. તેઓ સમજે છે કે, આભૂષણે પહેરાવવાથી એ વીતરાગ પ્રભુના પર સંન્યાસી શુદ્ધ સ્વરૂપને બાધ આવે. તેમના આ વિવેક અને ડહાપણને આપણે સમજવાની જરૂર છે.
ભગવાન્ની મુક્તિ એ પરમ વીતરાગની મૂર્તિ છે. એટલે કે એ મહાધ્યાનસ્થ પરમ ગીની મત્તિ છે. એ ધાશ્રમની અવસ્થાનું કે રાજાની અવસ્થાનું ચિત્ર નથી. ગૃહસ્થાશ્રમ કે રાજાની અવસ્થાવાળું ચિત્ર હોય તે તેની ઉપર આભૂષણ ઘટી શકે; પણ વીતરાગ વેગીની ધ્યાનસ્થ આકૃતિ ઉપર આભૂષણ કેમ ઘટી શકે ? આ બાબત એટલી સાદી, સરલ છે કે કેદ પણુ સમજુ સહેલાઈથી સમજી શકે તેમ છે. વીતરાગની મૂર્તિ પર આભૂષણ ચઢાવવાથી તેમની ધ્યાનસ્થ શી આકૃતિ ન સચવાય–તેમાં બાધ આવે તેમાં બગદા થાય અને ધ્યાનસ્થ ગીને દેખાવ મટી જઈ ગૃહસ્થાશ્રમ કે રાજને દેખાવ થાય. આ રીતે વિચારતાં સ્પષ્ટ સમજી શકાશે કે વીતરાગ પરમાત્માની ગવાહી મૃત્તિ પર આભુષણ ચઢાવવામાં તે મહાન પ્રભુની આશાતના થાય છે.
વીતરાગ દેવનું બાલ અવસ્થાથી માંડી અવસાન સુધીનું તમામ જીવન (Whole Life) પવિત્ર અને ઉચ્ચ છે. તેમનું આખું જીવન વિચારવા પ્ય છે. તેમના જીવનની દરેક ઘડી અને દરેક પળ મંગળભૂત છે. તેમના જીવનની તમામ મિનિટ અને તમામ સેક કલ્યાણક છે. મતલબ કે તેમનું તમામ જીવન ભાવના કરવા લાયક છે. બાલ અવસ્થામાં તેઓ કેવા નીડર, સુશીલ, બીર અને હિમ્મતવાન હતા, એવા પ્રકારની ઉનાવાળું એમનું બાલજીવન અને કુમાર અવસ્થામાં તેમને મનઃસંયમ અને બ્રહ્મચર્ય આદિ ગુણ-વિભવ કેટલે દેદીપ્યમાન હત–એવા પ્રકારનું એમનું શ્રેષ્ઠ કોમાર જીવન વિચારવા લાયક છે. એ પ્રમાણે, એમના ગૃહસ્થાશ્રમ અને રાજયાશ્રમની મહાન જ્ઞાનમય, મહાન સંયમમય, મહાન નીતિમય, મહાન વિવેકમય, મહાન સન્તષમય અને મહાનું પાપકારમય જીવનવિભૂતિ વિચારવા લાયક છે. એમના સંન્યાસની મહત્તાનું તે પૂછવું જ શું! અને એમના વિશ્વદશી જીવનની તે પ્રતિમાઓ કરી બેસાડીએ છીએ. આમ અન્ ભગવાનનું તમામ જીવન ચિન્તન કરવા લાયક છે. અને એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org