________________
-
સાધુ-સંસ્થાની વર્તમાન જીવન-દશા.
[તા. ૧–૧૧ ૩ ના “જૈન” માં પ્રકાશિત.] ( લેખક:-ન્યાયવિશારદ-ન્યાયની શ્રીમદ ન્યાયવિજયજી મહારાજ )
ત્યાગ-ભાગ અત્તમ ધર્મ છે. સંન્યાસના પંથે એ મહાન ધર્મ સધાય છે. મનિ-જીવનનું અદભુત માહાત્મ્ય છે. તેની શીતલતા ચન્દન અને ચન્દ્ર કરતાંય અધિક વર્ણવી છે. વૃક્ષાદિ એકેન્દ્રિયની છાયામાં જતાં ટાઢક વળે છે, તે મુનિનાં ચરની છાયામાં બેસનાં કેટલી શીતળતા મળે ! મુનિના મુનિધનું એ રભ છે કે તેની આસપાસનું વાતાવરણ શાન્તિમય હોય. તેનું સંયમ-તેજ આત્મબળને ભાસ કરાવે, તેની શાન્ત મુદ્રા આતહાદ આપે અને તેનાં વચન મીઠું રસ પાય. આવું પુણ્યમય જીવન ને વન્દનીય ન હૈય? છતાં આજે દિવસે દિવસે ઋનિવ તરફ આદર કેમ ઘટતો જાય છે ? આ વાતનો અમારે પિતે જ વિચાર કરી રહ્યા. અમારા અશાન્ત વ્યવહાર, અમારા કલહ-જીવને, અમારી ઉપાધિ-ધમાલે સમાજના વાયુમંડળને બહુ ફુગ્ધ કરી મૂકયું છે. પક્ષાપક્ષી, ખેંચાખેંચી અને ઈર્ષ્યા-દ્વેષના ખળભળાટ એવા મચી રહ્યા છે કે મુનિવગ પ્રત્યે જનતાની આસ્થા બહુ ઓછી થતી ચાલી છે. એક તે અમારામાં અપક્ષોની સંખ્યા બહુ અધિક છે, અને વિદ્વાન ગણાતાઓનું પણ જ્ઞાનતેજ પ્રાયઃ જોઇતા પ્રમાણમાં ઝગમગતું નથી. જેથી આજને શિક્ષિતવાં સાધુઓ તરફ આકર્ષા નથી. અમારી સંસ્થામાં કુસંપ તથા વડાઓનાં વાળ હાલ એવાં ઘેરાયાં છે કે, અમારા વર્ગ તરફ તેમની અરુચિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org