________________
મહારાજશ્રીને મુંબઈમાં પ્રવેશ અને ત્યાંથી નિગમન થતાં શાન્તાક્રુઝમાં શ્રીમાન્ કકલભાઈ ભૂધરદાસ વકીલ અને શ્રીમાન્ ગિરધરલાલ ત્રિકમલાલ, બારમાં શ્રીમાન બેરિસ્ટર મકનજી જૂઠાભાઈ, અધેરીમાં શ્રીમાન્ ભેગીલાલ હેરચંદ ઝવેરી, વિલાપારલામાં શ્રીયુત ગોવિન્દજીભાઈ રૂગનાથ અને મલાડમાં શ્રીયુત વૃધિલાલ ત્રિકમલાલ વગેરે શાસનપ્રેમી સનેએ સહર્ષ ભક્તિભાવ બજાવ્યો છે.
જૈન સાધુ સાંકડા દિલને નહિ, પણ ઉદાર વિચારક, બધા ધર્મવાળાઓ સાથે મિલનસાર અને વિશ્વબંધુત્વની ભાવનાને પિષક અને પ્રેરક હોય છે એમ મહારાજશ્રીએ તે પ્રમાણે આચરીને જાહેર જનતા સમક્ષ ખુલ્લુ કરી દીધું છે. અને એ રીતે તેઓશ્રીએ જૈન સાધુની ઇત વધારી જૈન ધર્મનું મુખ ઉજવળ બનાવ્યું છે. તેમણે પિતાના ઉદાર વ્યાપક જીવનથી મુંબઈની જાહેર પ્રજામાં બહુ સુન્દર અસર ઉપજાવી છે.
સારાંશ, તેમનું મુંબઇનું આખું ચતુર્માસ જવલન્ત પસાર થયું છે. તેમના ચતુર્માસની વિવિધ પ્રવૃત્તિઓનો સઘળો ઉલ્લેખ તે કયાંથી થાય; પણ યાદ આવ્યું અને સાધન મળ્યું તેટલું સ ગ્રહીત કરી પુસ્તક પ્રગટ કરવાનું જે સૌભાગ્ય અમને સાંપડયું છે તે બદલ ગુરૂદેવને આભાર માની અને વાચકે મધ્યસ્થ દષ્ટિથી આ પુસ્તકનો ઉપયોગ કરે અને ગ્ય સાર ગ્રહણ કરે એમ ઈચ્છી અહીં અમારું વક્તવ્ય સમાપ્ત કરીએ છીએ.
તા. ૧૪-૧૦-૩૨ કેટ, મુંબઈ
નિવેદક પ્રકાશકમંડળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org