SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી મહા કવિ શ્રી વીરવિજયજી વિજયજી સ્વર્ગે સીધાવ્યા. વીરવિજ્યજીને ગુરુને આ વિયેગ બહુ આકરા લાગ્યા. તેમને પોતાના ગુરુપર બહુ પ્રેમ હતું. મુએ તેમને સંસારસાગરમાંથી તાર્યા-બચાવ્યા અને વળી ઉંચી વિધા આપી તેમને અણી બનાવ્યા હતા. શીખે ગુસ્ની ભક્તિ કરી આણુ પતાવવા કાંઈક પ્રયત્ન કર્યો હતો. પિતપતાના ગુરૂની સ્તુતિ કરતાં “શુભલી” માં કહ્યું છે કે ( આ શુભવેલી પિતાના ગુરુની હૈયાતીમાં સં. ૧૮૬૦માં લખી હતી એ ગુરૂના ગુણ જલનિધિ, મુજ મતીએ ન કહાય ગુણનિધિ જલનિધિ જલ ભર્યો, ગરગરીએ ન અપાય. - આ ઉપરથી જણાઈ આવે છે કે પિતાના ગુરુના ગુણ ઉપર તેમને કેટલાં અનહદ પ્રેમભક્તિ હતાં. તેમણે દીક્ષા લીધા પછી તરત જ એટલે પાંચ વરસ પછી પિતાની કવિત્વ શતી ખીલવવા માંડી અને તેના પ્રથમ સુંગધી પુષ્પ તરીકે ગેડી પાર્શ્વનાથના ખલીયા સં. ૧૮૫૩ માં બનાવ્યા ત્યાર પછી સં. ૧૮૫૭ માં સુરસુંદરી રાસ અને પરમ કારણિક શ્રી મહાવીર દેવની પાંત્રીસ પ્રકારની વાણીના ગુણનું વર્ણન લખ્યું છે. તેમની ઉપદેશક શક્તિ બહુ આકર્ષક હતી. તેમને ઉપદેશ સાંભળવા મનુષ્યની મેદની એટલી ભેગી થતી કે પોતે જ્યાં હોય ત્યાં ઉપાશ્રય મનુષ્યથી ચીકાર ભરાયેલ રહેતો. તેઓ જેમ સારા ઉપદેશક હતા તેમ નીડર પણ હતા. તેમણે ટુંકે અને શિથિલ યતીઓનું જોર તોડવા પોતાના ઉપદેશસાગરનો પ્રવાહ વાળ્યો હતો. તે વખતના ઘણા શિથિલ થતીઓ અને દંઢકે તેમના આ સુંદર કાર્યથી બહુ નારાજ રહેતા. તેમણે પંડિતજી વીરવિજયજીને હેરાન કરવામાં કાંઈ મણું નથી રાખી. તેમણે વીરવિજયજીને કેટે પણ ચડાવેલા; પરંતુ આપણે સનાતન સિદ્ધાંત–સત્યમેવ જયતે પ્રમાણે તેમને કેઈથી પરાભવ નથી થયો. ન્યાયાધીશે પણ તેમનો ત્યાગ તપસ્યા ઉચ્ચ ચારિત્ર અને અસાધારણ વક્તવ શક્તિ જે તેમના પર મુગ્ધ થતા અને તેમને માનભેર નમસ્કાર વંદન કરી રજા આપતા. તેઓને જૈનોનાં પરમ પવિત્ર સૂત્રોનું જ્ઞાન બહુ ઉંચું હતું. તેને પ્રજાને લાભ આપવા સ્થળે સ્થળે સૂત્રના પાઠે સ્તવનો ઝંઝાયો-સ્વાધ્યાય રાસ તથા પૂજામાં મુક્યા છે તેને માટે તેમને એક દુહો હું ટાંકું છું. ઉતરાધ્યયને સ્થીતી લગે, અંતર મૂર્ત કહાય; પન્નપણમાં બારતે, શાતા બંધ સંપ્રાય છે ૧ | - સાત વેદની બંધનું ઠાણ પ્રભુ પુર ધુપ, મચ્છત દુર્ગધ દુર ટળે, પ્રગટે આત્મસ્વરૂપ, ને ૨ " (વિવિધ પૂજાસંગ્રહ પૃષ્ટ ૧૬૭) આ દુહામાં જૈનેનાં બે સૂત્રો (ઉતરાધ્યયન અને પન્નવણું) ના ભાગ છે. આવી રીતે ઘણુંજ સ્થળે તેમણે સૂત્રોના પાઠ આપ્યા છે. શ્રી વીરવિજયજીના ગ્રંથો જેવાથી તેમની અસાધારણ વિતા અને કવિત્વશકિત વાચકેને ખ્યાલ આપે છે. એમની કૃતિઓ ઘણે સ્થળે બહુ ઉંચું સ્થાન મેળવે છેગમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy