SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યની હતાવહ દિશા. (૩) છઠ્ઠા સૈકા સુધી રહી પછી જેમ જેમ સ્મૃતિભ્રંશ થવા લાગ્યો તેમ તેમ ગણધરો અને શ્રુતકેવળીએ વિગેરેના ઉપદેશેલા પાઠ ભૂલાવા લાગ્યા. એ સમયે એક એવી કથા છે કે‘ એક વેળા એક મુનિશ્રીએ કાન ઉપર હળદરના ગાંઠીયા રાખેલા તે પાછા વાપરવા ભૂલી ગયા; તેથી સમજાયુ કે હવે સ્મૃતિભ્રંશ થવા લાગ્યા છે.' એટલે ત્યાર પછી જ્ઞાનને પુસ્તકારૂઢ કરવાનુ હતુ અને સઘળા જૈન શ્રમણાએ તે બુલ રાખ્યું. પછી મથુરામાં સૈા પ્રથમ મુનિર્ધારષદ મળી અને જે જે મુનિઓને પાઠ યાદ હતા, તે તે તેમણે લખાવ્યા. આ રીતે વાડ્મય સાહિત્ય હતું તે ગ્રંથસાહિત્યનુ સ્વરૂપ પામ્યુ’. ત્યારપછી શ્રી દેવવિધ ક્ષમાશ્રમણ સુરિના પ્રમુખપણા નીચે વધભીપુરમાં બીજી મુનિપરિષદ મળી, અને તે વખતે પણ પહેલાની જેમ વામય સાહિત્ય ગ્રંથારૂઢ થયું. મથુરાની સાહિત્ય સચૈાજનાને માધુરી વાંચના અને વલ્લભીપુરની સાહિત્ય સયેાજનાને વલ્લભી વાંચના તરીકે જૈન સાહિત્યમાં ઓળખાવવામાં આવે છે. ત્યારપછી વિદ્વાન જૈનાચાર્યાએ અનેકાનેક વિષય વિષે ગ્રંથો લખ્યા અને તેના પ્રચાર કર્યાં. એ ભૂતકાળના પ્રસંગને છેાડી હવે આપણે વમાન ઉપર આવીએ. આજથી લગભગ ૪૦ કે ૫૦ વર્ષ ઉપર જૈન સાહિત્યને છપાવી મહાર પાડવાના પ્રયત્ન થયા, ત્યારે જેઆ પરંપરાની પવિત્રતાને સાચવી રાખવા ઉત્સુક હતા તેમના તરફથી તેના વિરોધ કરવામાં આવ્યા; કારણ કે તેઓ એમ માનતા હતા કે એમ થવાથી વાડ્મયની પવિત્રતા નહીં જળવાય. પરંતુ કાળબળે પેાતાનું કામ કર્યુ અને આજે પણ કર્યું` જાય છે. એટલુ' । નિર્વિવાદ છે કે વાડ્મય સાહિત્ય કરતાં લેખન સાહિત્ય વિશેષ પ્રચાર પામે છે અને હસ્તલિખિત સાહિત્ય કરતાં મુદ્રિત થયેલુ સાહિત્ય બહોળા પ્રમાણમાં વંચાય છે. સ્મૃતિ શક્તિનો અનાદર કરી જડ સાધનાનો આશ્રય લેવા એ એક પ્રકારનુ પરાવલંબન તેા છેજ, પણ જે વખતે સ્મૃતિભ્રંશ વધતા જતા હાય, તે વખતે સ્મૃતિને સહાયક થાય તેવા સાધનાના ઉપયોગ ન કરવા તે કદાચહુજ લેખાય અને એવા કદાગ્રહ અનેકાંત મતના ઉપાસકેાને તે ખીલકુલ શાભાસ્પદ ન ગણાય. પ્રસંગોપાત હું મારા પર પરાપ્રિય અને પ્રતિપ્રિય પૂજ્ય મુનિવરો અને ગ્રહસ્થાને સૂચના કરવાની રજાલઉ છું કે હવે વિશેષ સ્મૃતિભ્રંશ ન થાય એટલા માટે ગ્રંથને ફળવિસ્તાર વધારવાના તથા જીના-ઉપયાગી પ્રથાના ઉદ્ધાર કરવાના આપણે બને તેટલા પ્રયત્ન કરવા જોએ. જૈન સાહિત્યના વિસ્તાર માપવા એ સહુજ નથી. જૈનાચાર્યોએ તેને ચાર ભાગમાં વહેંચી નાંખ્યું છે. (૧) દ્રવ્યાનુયાગ (૨) ગણિતાનુયાગ (૩) ચિર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy