SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પાશ્ચાત્ય વિદ્વાને ને જેન સાહિત્ય ૩૩ ૩૨ કેઈને જરૂર પડ્યે ઉત્તેજનાથે કાંઈક મદદ અપાવી, કોઇને રૂબરૂ મળી અને કેઈને આમંત્રી અનેક વિદ્વાનેને અપનાવ્યા છે. તેઓનું આ પ્રચારકાર્ય જો કે હજી જન સમાજની દષ્ટિપથની બહાર છે, પણ નજીકના ભવિષ્યમાં તેનું રૂ ફળ ને પારણામ બહાર આવવા સંભવ છે. તેમના યુરોપીય શિષ્યોમાં છે. ઓટોસ્ટાઇન, ડે. વિન્ટરનીટઝ, ડો. પેરોલ્ડ, ડો. ડુંગેની ડે. મસ, ડે. હેલમાઉથ, ડે. બિંગ, ડે. ઝાયર, ડે. સ્ટેન કેને, ડે. ઇટુચી અને ડે. સીલ્વન લેવી વગેરે છે. આજે પણ તેઓશ્રીના વિદ્વાન શિષ્ય આચાર્યશ્રી વિજયેન્દ્ર સૂરિ આ દિશામાં કામ કરી રહ્યા છે અને તેને વ્યવસ્થિત કરવા ધારે છે. આટલું આવશ્યક અને ટુકું વિવેચન તે બે મહાન પુરુષોના પ્રચારકાર્ય સબંધી લખવાની જરૂરીયાત જણાયાથી લખ્યું છે. તે સિવાય આ નિબંધ અધૂરો જ ગણાત. પચાસ વર્ષ પહેલાં કોણ જાણતું હતું-કેની કલ્પનામાં પણ હશે કે જૈન સુત્રોનાં પ્રકાશને જર્મનન્યુરોપીયન વિદ્વાનો કરશે, તેના અનુવાદ અંગ્રેજી અને જર્મનમાં થતા જશે, એક બે કે પાંચમાંથી વધતા વધતા સો વિદ્વાને આ દિશામાં મૂકશે અને રવમમાં પણ કેને ખ્યાલ હતો કે મિસ કાઉઝ જેવી જર્મન કુમારિકા Ph. D. થઈને હિંદીગુજરાતી-મારવાડી-સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરી આપણું ધર્મ પુસ્તકોનું તેની ભાષામાં ભાષાંતર કરશે તેમ જ અમેરિકન કન્યા મિસ. જેન્સન Ph. D. પણ મહાવીર ચરિત્રનું ભાષાંતર કરશે ! આજે યુરોપમાં શું શું કામ થઈ રહ્યું છે ? આજ સુધીમાં કેટલું થયું છે? તેના સવિસ્તર સમાચાર હું અભ્યાસી ન આપી શકું અને આ ટુંક નિબંધમાં તે આવી પણ ન શકે, બની તેટલી હકીકત મેળવી-વાંચી–અભ્યાસની દષ્ટિએ આવયું તેમ-લખવા પ્રયાસ કર્યો છે. તે પણ-પશ્ચિમમાં અને ખાસ કરી જર્મનીમાં જન સાહિત્યના સબંધમાં જે કામ થઈ રહ્યું છે તે પ્રશંસનીય છે. તેવા કામને ઉત્તેજન આપવામાં આવે તે જૈન સાહિત્યનું પ્રકાશન કામ જલ્દી પ્રચાર પાયા વિના ન રહે. પાશ્ચાત્ય વિદ્વાનોએ જૈન સાહિત્ય સબંધી અનેક સંશોધન ભર્યા લેખો લખ્યા છે, અભ્યાસ દૃષ્ટિએ તુલનાત્મક દૃષ્ટિએ નિબંધ લખ્યા છે. સૂત્રોનાં પ્રકાશન કર્યા છે, અનેક ભાષામાં અનુવાદ કર્યા છે અને હજી તો કામ વધતું જ જાય છે. આજે તે ઈટલી ને છે કેસ્વાવીયા, જર્મની ને અમેરીકા, ઇગ્લાંડ અને કાન્સ ચારે દિશામાં-દેશદેશમાં વિદ્વાને કામ કરી રહ્યા છે–અને જૈન ધર્મને અભ્યાસ કરે છે, અનેક તુલનાત્મક નિબંધ લખે છે. અનેક સંસ્કૃત ગુજરાતી, હિન્દી, માગધી ભાષા શીખે છે તેથી એ દિવસ પણ આવશે કે જ્યારે જૈન ધર્મ સાહિત્યરસિક વિદ્વાનોના મગજમાં ઉચ્ચ સ્થાન પામશે. કેટકેટલા વિદ્વાને કામ કરી રહ્યા તેની ચેકસ સંખ્યા તો હું નથી મેળવી શો પણ મળ્યાં તેટલાં નામ આ નીચે જણાવ્યાં છે. ડે. એટેસ્ટાઈન (પ્રાગ), ડો. જેન નેબલ (બર્લીન) ડે. એ. પેરાલ્ડ (પ્રાગ) છે.-મી-ડે ગાન (હેલેન્ડ) મી. એચ વારેન (લંડન) ડે. હર્મન યાકે બી (જર્મની), ડે. સ્ટેન કેન ( ક્રીશ્ચીયાનીયા ) , હ્યુમન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy