SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભાવનગરમાં ભરાયેલી સાતમી ગુજરાતી સાહિત્ય પરિષઢ્યાં પંડિત સુખલાલજીનું વિચાયેલું ભાષણ. જેન ન્યાયને ક્રમિક વિકાસ. ન્યાય અને ન્યાયશાસ્ત્ર–જે અનુમાન પ્રણાલિકાથી સંદિગ્ધ વસ્તુને નિર્ણય કરી શકાય છે, તે અનુમાન પદ્ધતિને ન્યાય કહેવામાં આવે છે. જે શાસ્ત્રમાં આવી અનુમાન પદ્ધતિને વિચાર મુખ્યપણે હેવ છે, તે શાસ્ત્ર ન્યાયસાહિત્યમાં સ્થાન લે છે. ન્યાયશાસ્ત્રમાં માત્ર ન્યાયની અનુમાન પદ્ધતિની જ ચર્ચા હોય તેમ કાંઈ નથી હોતું, તેમાં સમગ્ર પ્રમાણેનું નિરૂપણ હેય છે. એટલું જ નહીં પણ તેમાં પ્રમેયોનું નિરૂપણ સુધાં હોય છે. છતાં એટલું ખરૂં કે તેવી જાતના સાહિત્યમાં પ્રમાણ નિરુપણે અને તેમાંયે અનુમાન પદ્ધતિને નિરૂપણે એ ભાગ રેકેલ હોય છે, તેથી જ તેવી જાતનું સાહિત્ય “ખાધાજોન ચાલવા મવનિ ) એ ન્યાયને અનુસરી ન્યાય સાહિત્ય કહેવાય છે.' ચેતન સૃષ્ટિમાં મનુષ્ય જાતિનું મહત્વ તેની બુદ્ધિને લીધે છે. તેની બુ. દ્વિની મહત્તા વિચાર-સ્વતંત્રતાને લીધે છે. વિચાર-સ્વાતંત્ર્ય એ તક અને . નામા શક્તિનું પરિણામ છે. તેથી જ્યારે કેઈ બહારનું કે અંદરનું દબાણ ન હોય ત્યારે હરકેઈ મનુષ્યની બુદ્ધિ આપો આપ શંકા અને તર્ક કર્યા કરે છે, અને તેમાંથી જ કલ્પનાશક્તિ ખીલતાં ક્રમે ક્રમે અનુમાન પદ્ધતિ નિષ્પન્ન થાય છે. આ કારણથી ન્યાય એ કઈ પણ દેશની કેઇ પણ મનુષ્ય જાતિની વિકસિત કે વિકાસ પામતી બુદ્ધિનું એક દ૨ય સ્વરૂપ છે. થોડામાં કહીએ તે મનુષ્ય જાતિની વિચારશક્તિ એ એક માત્ર ન્યાયશાસ્ત્રનું ઉદ્ગમ સ્થાન છે. છતાં દેશભેદ કે સંપ્રદાયભેદથી ન્યાયશાસ્ત્રના વિભાગ પડી જાય છે. જેમ કે –પશ્ચિમ ન્યાયશાસ્ત્ર, પુવીય ન્યાયશાસ. પુર્વના ન્યાયશાસ્ત્રમાં પણ વૈદિક, બદ્ધ અને જેને એ મુખ્ય ભાગ છે. ત્રણ ભેદનું પારસ્પરિક અંતર–આવા ભાગે પડી જવાનું મુખ્ય કારણ સંપ્રદાય ભેદ એ તે છે જ, પણ બીજાએ ખાસ કારણો છે. જેમકે ભાષાભેદ, નિરુપણ પદ્ધતિની ભિન્નતા અને ખાસ કરી સાંપ્રદાયિક પ્રમેયની અને માન્યતાઓની ભિન્નતાને લીધે ઉપસ્થિત થયેલ પ્રસ્થાન ભેદ, વૈદિક ન્યાયનું પ્રસ્થાન વેદને પ્રમાણ માની તેને અનુકૂળ ચાલવામાં છે. બૌદ્ધ ન્યાયનું પ્રસ્થાન વેદ કે અન્ય આગમ પ્રમાણુને આશ્રિત ન રહી પ્રધાનપણે અનુભવને આધારે થાલવામાં છે. નિ ન્યાયનું પ્રસ્થાન વેદના પ્રામાણ્યને સ્વીકાર ન ક્યાં છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy