SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) શ્રીયુત પંડિત લાલનનું ભાષણ. ઘણી વાર પિોતે પોતાના કામથી ઉપજાવેલાં ફળે ભેગાવવામાં કાયરતા દાખવે છે એ દુબળતા છે. જેણે નારીના અને તિય"ચપણના અનેક અસહ્ય દુ:ખ ભગવ્યા છે તે દુ:ખ કે કલેશથી નિરાશ તે ન જ થાય, ઉલટું તે આત્મબળે ભેગાવી કર્મથી ટવાને જ નિશ્ચય કરે. આ રાસથી જુનાં કર્મો ભોગવી લેવાનું અને નવાં પાપ ન કરવાનું દદીભૂત થાય છે. પંડિત સુખલાલજીએ કમથની પ્રસ્તાવનામાં લખ્યું છે કે – प्राक्कर्म प्रविलाप्यतां चितिवलान् नाप्युतरैः श्लिष्यतां । प्रारब्धं त्विहभुज्यतामथ परब्रह्मात्मना स्थियताम् ॥ અર્થાત–પહેલાના બાંધેલા અશુભ કર્મોને જ્ઞાનબળથી ગાળી નાખે, આત્મબળથી નવા અશુભ કર્મના બંધનમાં ન બંધાઓ, અને આત્મવીર્યથી પ્રારબ્ધ કર્મને ભાગવતાં ક્ષીણ કરી નાંખે. એ રીતે આખરે બ્રહ્મપદમાં અનંતકાળ પર્યત સ્થિર રહે. ” ઇલાયચી કુમારની સ્થા–આ કથા બહુ રસિક અને બેધપ્રદ છે. મેહવશ પ્રાણીઓ શુભ ધ્યાનમાં આરૂઢ થતાં કેવી રીતે આત્મજ્ઞાન અને કેવળજ્ઞાન પામે છે તેનું મનહર નિરૂપણ આ કથામાં છે. હુ ટુંકામાં તેને સાર કહી જઉ છું. ઈલાયચીકુમાર એક ધનવાન છીને કમાર છે. તરૂણાવસ્થામાં તે એક નાટક જેવા જાય છે. ત્યાં નટની એક રૂપવતી પુત્રી ઉપર મહી પડે છે અને નાટક ખલાસ થવા છતાં વિચારમાં ને વિચારમાં તે ત્યાંને ત્યાંજ બેસી રહે છે. તેના મિત્ર તેને સમજાવી પટાવી ઘેર લઈ જાય છે. ઘેર જવા છતાં તેનું ચિત્ત કેમે શાંત થતું નથી. તે એક ભાંગલી-તૂટલી ખાટલી ઉપર પડે છે. ( પૂર્વકાળમાં કેદ કુમાર રીંસાય ત્યારે ભાંગલી-તૂટલી ખાટલીનેજ આશ્રય લેતા અને પછી મેટેરાઓ આવી સમજાવટ કરતા.) ઘરના વડીલ અને વૃદ્ધ પુરૂષ તેને સમજાવવા આવ્યા. પણ તેણે તો એક જ વાત કર્યા કરી કે –“ મને પેલી નટની પુત્રી સાથે પર . ” કુળવાન અને ધનવાન શેનું કુટુંબ એકદમ એક નીચ કુળની નદી સાથે પોતાના કુળદીપકનું લગ્ન કરવાને શી રીતે તૈયાર થાય ? શરૂઆતમાં તે તેમણે આનાકાની કરી, પણ લાડકવાયા પુત્રનું મન સંપાદન કરવા આખરે તેમણે સમ્મતિ આપી. નટે પિતાની પુત્રી પરણાવવાનું કબુલ્યું, પણ એક એવી આકરી સરત કરી કે– જે લાયચીકુમાર નાટકકળામાં કુશળ બની, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy