SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ દેવચંદ્રજી ૧૨૩ શ્રી જ્ઞાનસારજીએ સાધુપદ સજજાયના ટબામાં જણાવ્યું છે કે શ્રીમને એક પૂર્વનું જ્ઞાન ( અતિ ઉંચ કોટિનું-દિવ્ય જ્ઞાન ) હતું. આ પરથી એક પૂર્વનું જ્ઞાન, શ્રીમની મહત્તા-પ્રતિષ્ઠા ને વિદ્વત્તા સર્વમાન્ય હતાં એ સ્પષ્ટ થાય છે. શ્રીમના સમકાલીન સાક્ષર કવિ પંડિત મુનિવરમાં ભારતવર્ષના મહા સમર્થ વિદ્વાન મહામહેપાધ્યાયજી શ્રીમદ્દ યશોવિજયજી, કે જેમના જેવા ભક્તસમકાલીન જન સાક્ષર કવિ-જ્ઞાની- કગી મહાત્મા વિરલ જ થયો હશે, તેઓ મુનિઓ, મુખ્ય છે. તેઓ જન કેમમાં સર્વમાન્ય ધર્મધુરંધર અને સર્વ અનુગમાં ગીતાર્થ હતા (જેમનું જીવન તથા ગુર્જરી સાહિત્ય એ નિબંધ પ્રાતરમરણીય આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ શ્રી ચેથી ગુર્જર સાહિત્ય પરિષમાં રજુ કર્યો હતો.) તેમણે માત્ર ન્યાય એ વિષય ઉપર જ ૧૦૮ ગ્રંથ રહ્યા છે અને એકંદર બે લાખ શ્લોકના જે રચયિતા હતા. તદુપરાંત બીજા શ્રી જ્ઞાનવિમળરૂરિ, જેમની અનેક કૃતિઓ વિદ્યમાન છે, તથા શ્રી જિનવિજયજી તથા શ્રી પદ્વવિજયજી તથા શ્રી વિનયવિજયજી જે શ્રીપાલ રાસ જેવા મહારાસના કર્તા, કલ્પસૂત્રની સુખબેધિકા ટીકાના રચયિતા, શત્રુંજયસ્તવન તથા શાંતસુધારસ ગ્રંથના પ્રણેતા; તથા ચંદરાજાના રાસના કર્તા શ્રી મેહનવિજયજી તેમ જ ઘણું કરીને મહાન આત્મજ્ઞાનદિવાકર શ્રી આનંદઘનજી, તથા પંડિતપ્રવર કવિરત્ન ઉદયરત્નજી જેવા મહા પ્રખર સાક્ષર વિદ્વાન શ્રીમદ્ભા સમકાલીન હતા, જેમની અદ્ભુત કૃતિઓથી જન તેમ જ જૈનેતર સમાજ વર્તમાનકાળે પણ બ્ધ છે. આ પિકી ઘણાખરાને શ્રીમદ્દ સાથે બહુ સારે સમાગમ હતું એમ સંભવે છે, ને કેટલાક વિદ્વાનેને તે શ્રીમદે અધ્યયન કરાવેલ હતું. શ્રીમદ અને સમકાલીન મુનિરોએ ગુર્જર સાહિત્યને ઘણી જ સુંદર રીતે પિપ્યું છે. ગુર્જર ભાષામાં અનેક ચિરંજીવ અદ્દભુત રાસાઓ, કાળો, સ્તવને, અધ્યાત્મજ્ઞાનના તથા વૈરાગ્યના રસિક ગ્રંથ તથા સંસ્કૃત માગધી ભાષાના પ્રેપર સરળ વિવેચને યા ભાષાંતરે કરી તથા લખી ગુર્જર સાહિત્યને ઘણું જ પિડ્યું છે, અને આ સત્ય ગુર્જરગિરાના ઉપાસકેથી અજ્ઞાત નથી જ, તે આ કૃતિએ વાંચ્યાથી તે પ્રતીત પણ થશે. શ્રીમદ્દ યશોવિજયજી મહારાજના સમાગમમાં શ્રીમદ્દ આવ્યા હોય એમ ચેકસ લાગે છે. ઉપાધ્યાયજી શ્રીમદ્ યશોવિજયજી સં. ૧૭૪૫ લગભગ સુધી સમકાલીન વિદ્વાનોનાં જીવતા હતા અને શ્રીમદ્ તેઓશ્રીના સમાગમમાં આવ્યાથી મિલન. તેમનું આત્મજ્ઞાન તરફ લક્ષ ગયું હોય એમ અનુમાન થાય ' ' છે અને તેથી જ તેમણે શ્રીમદ્દ યશોવિજ્યજીકૃત જ્ઞાનસાર પર જ્ઞાનમંજરી ટીકા લખી હેય, ને શ્રી યશોવિજયજીની વિચારમાળાની પુષ્ટિ કરી હોય એમ સંભવે છે. પાટણમાં શ્રીમદ્દ જ્ઞાનવિમલસૂરિ જોડે શ્રીમદને સમાગમ થયેલો પ્રતિત થાય છે. પં. જિનવિજયજીને શ્રી જ્ઞાનવિમલસૂરિએ ભગવતી વંચાવ્યું હતું અને તે સાલ લગભગ શ્રી જિનવિજયજીને શ્રીમદે વિશેષાવશ્યક વંચાવ્યું હતું, તેથી પાટણમાં બન્ને વિદ્વાનેને સમામગ સંભવે છે. શ્રીમદ્દ અને જ્ઞાનવિમલસૂરી બન્નેએ મળી આનંદઘન ચેવશીનાં છેલ્લાં બે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy