SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ જનવિભાગ કઈક નવું દૈવી બળ આવ્યું હોય તેમ કલહપંચાનનના કાનમાં પિતાને ખેસ ભરાવી હાથીને આગળ ધપાવ્યા. કુમારપાળનું શૌર્ય, તેની ધીરતા અને વીરતાની ખરેખરી કસોટી આ વખતે હતી. તેને જગતને બતાવવું હતું કે ગુજરાતની ગાદીએ તે વીર પુરુષ જ આવ્યા છે. સારા યુદ્ધવિશારદને છાજે તેવી રીતે તેણે શૌર્યથી પિતાના કલહપંચાનનને અર્ણોરાજની સામે ધપાવી શિકાર બરાબર સામે આવ્યો જેઈ, લાગ શોધી વીર પુરુષની માફક હાથી ઉપરથી કુદકો મારી અર્ણોરાજની અંબાડીમાં જઈ તેને હેઠો પાડી કેદ કરી લીધો. ગુજરાતના સૈનિકે ભૂલ્યા. તેમણે જોયું કે ગુજરાતનું નાક કુમારપાળે અખંડ રાખ્યું છે, પછી તે સૈનિકે એ કુમારપાળનું અનુકરણ કર્યું અને તેની મદદે જઈ પહોંચ્યા. અર્ણરાજનું સૈન્ય ઉભી પૂંછડીએ ના. માળવાને રાજા પણ આ ખબર સાંભળી પિબારા ગણી ગયો અને કુમારપાળની વિરતાનાં યશોગાન તરફ ફેલાયાં. ત્યાંથી પાછા વળતાં વિક્રમસિંહને કેદ કરી તે પાટણ આવ્યા. ગુજરાતને નરેશ વિજયયાત્રા કરી વિજયલક્ષ્મી મેળવી પાછો આવ્યો. ગુજરાત, પાટણની યુવતિએાએ તેને ઉઘાડે મુખડે ફૂલ અને ચોખાથી વધાવ્યો અને તેનાં યશગાન ગાયાં. હજી તો વિજયયાત્રાનાં યશગાન ગવાતાં હતાં ત્યાં તો કોકણના મલ્લિકાર્જુનનું “રાજ્યપિતામહ” બીરૂદ કુમારપાલને ખુંચ્યું. તે વૃદ્ધ રાજવીને થાક ઉતારવાની જરૂર હતી છતાં તેનું વીર ક્ષત્રીય લોહી ઉછળી આવ્યું. તેણે તે જ વખતે યુદ્ધવિશારદ વાહડ-વાડ્મટને સૈન્ય આપી મલ્લિકાર્જુન ઉપર મોકલ્યું પરંતુ પહેલી વાર તે વાહડને પરાજય થયો.તે ચતુર સેનાપતિએ કાળા તંબુ સહિત પાછાં આવી પાટણ બહાર પડાવ નાખ્યો. કુમારપાલે ગામ બહાર કાળો તંબુ જેઈ તપાસ કરાવી તો તેને માલુમ પડયું કે વાડ્મટ પરાજય પામી પાછા આવ્યો છે, એટલે તરત જ કુમારપાલે તેની પાસે ગયો અને પુષ્કળ સૈન્ય આપી પાછો મલ્લિકાર્જુન સામે મેકલ્યો. વાગભટ બીજી વાર સાવચેતીપૂર્વક જઈ વ્યુહ રચી તેની સામે યુદ્ધના મરચા માંડયા. આ બીજી વારના યુદ્ધમાં વાહડ વિજયી થયો. તેણે તે યુદ્ધમાં “રાજપિતામહ” મલ્લિકાર્જુનને મારી નાખી તેની વિજયલક્ષ્મીને વર્યો. સાથે તેણે મલ્લિકાર્જુનની જે રાજલક્ષ્મી મેળવી તેમાં નીચેના મુખ્ય હતાં. “શૃંગારકેટી નામની સાડી, માણિક્ય નામનું વસ્ત્ર, પાપક્ષય હાર અને વિષાપહાર છીપ. એ સિવાય ૧૪ ભાર સોનાના ૩૨ કુંભ-ચરૂ, ૬ મુંડા મોતિ, ૧૪ કરોડ સોનૈયા, ૨૦૦૦ હજાર વાસણ, ચતુર્દત હાથી અને સુંદુક નામને ભવેત હાથી વગેરે ઘણી ચીજો સાથે લઈ વિજયયાત્રા કરી તે પાટણ પાછો આવ્યો. ગુજરાતના નરેશે તેને બહુ માનપૂર્વક પુરપ્રવેશ કરાવ્યું. તેણે સભામાં જઈ કુમારપાલ સન્મુખ મલ્લિકાર્જુનનું માથું ધર્યું અને બધી રાજલક્ષ્મી સભામાં હાજર કરી. કુમારપાલે તેને ધન્યવાદ આપી મલ્લિકાર્જુનનું “રાજપિતામહ” બીરૂદ વાડ્મટને આપી બીજું પણ સારું ઇનામ આપ્યું. આ સિવાય સૌવીર, સૌરાષ્ટ્ર, સપાદલક્ષ, તેલંગ, કેકણ આદિ દેશમાં વિજયયાત્રા કરી કુમારપાલ પાછો આવ્યો. ગુજરાતની સમસ્ત પ્રજાએ, તેની યુવતિઓએ આ પિતાના પરનારીસહદર વિજેતા રાજવીને ઉધાડે મુખડે દુઃખડાં લઈ ફૂલ અને ચોખાના સ્વસ્તિકથી ૧ વાજીંત્ર અને શંખનાદ સાંભળી તે પાછો પડતો હતો એટલે તેણે તેને કાનમાં ખેસ ભરાવ્યો કે જેથી તે શબ્દ સાંભળી ન શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy