SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ જાણવા તારે જરા પણ પ્રયત્ન ન કરવો.’ 46 જેવી આપની મરજી, બાપુ ! હું જાણું છું કે, આપ જે કાંઈ કરતા હશે તે સારું જ કરતા હશે!; આપ ભગવાનના માણસ છે. આપ જેમ કહેશે! તેમ જ થશે, એની મારા તરફથી ખાતરી રાખજો.” (6 બસ, હવે મારી સાથે ચાલ; આપણે જઈને પેલી બચીને લઈ આવીએ. 39 લે સિઝેરાલ “ હેં ? હજુ એક બાળક પણ અંદર છે ? ” પરંતુ પછી તે એક શબ્દ પણ વધુ બા! નહિ. કૂતરો જેમ તેના માલિકની પાછળ પાછળ જાય, તેમ તે નમ્રતાથી જીન વાલજીનની પાછળ ગયો. અર્ધા કલાકની અંદર તા કૉસેટ એક સારી તાપણીના તાપથી ફરી સજીવ બનીને પેલા બુઠ્ઠા માળીની પથારીમાં ઘસઘસાટ ઊંધી ગઈ. જીન વાલજીને પોતાના કોટ પાછા પહેરી લીધા હતા. બુઠ્ઠા માળીએ હવે ટેબલ ઉપર પનીરનું ઢેફૅ, રોટી અને શીશા ગાઠવી દીધાં; તથા કહ્યું — - “ હું મેડલીન બાપુ, તમે તા મને ઓળખ્યા નહિ જ ને? લેાકની જિંદગી તમે બચાવા છેા ખરા, અને પછી તેમને ભૂલી જાઓ છે!! વાહ, એ કાંઈ સારા માણસનાં લક્ષણ કહેવાય ? પેલા તેા બિચારા તમને હર-હંમેશ યાદ કરતા હોય છે! ” ૩૧ પીના મઢ પી-ના પ્રાચીન મઠ કઠોર તપસ્વિની સાધ્વીઓના મઠ હતો. વ્રત, ઉપવાસ, તપ અને જપમાં જ તેના સમય વ્યતીત થતા. તે માંસ કદી ખાય નહિ, લેન્ટના ચાલીસે દિવસ તથા બીજા પણ કેટલાય ખાસ દિવસોએ ઉપવાસ કરે, વહેલી રાતે ઊઠને એકથી ત્રણ વાગ્યા સુધી પાઠ કર્યું, પરાળની પથારીમાં બરછટ ચાદર ઉપર સૂએ, કદી સ્નાન કરે નહિ, કકડતી ટાઢમાં પણ તાપણીએ તાપે નહિ, દરેક શુક્રવા૨ે ખાસ પ્રાયશ્ચિત્ત કરે, મોટો ભાગ મૌન વ્રત પાળે, અને ૧૪મી સપ્ટેંબરથી ઈસ્ટર સુધીના છ મહિના ખરબચડું લાલીન પહેરે. પહેલાં તે આખું વર્ષ એ કપડાં જ પહેરવાને નિયમ હતા; પણ ઉનાળાની ગરમીમાં ઘણી સાધ્વીબે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005197
Book TitleDaridranarayan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy