________________
પણ સમાચાર પહોંચી ગયા હતા કે, કિનને વિશ્વ-પ્રકાશ” મેતી જડ્યું છે.
બગીચામાં ટહેલતા પાદરીને એ સમાચાર મળતાં જ દેવળની કેટલીક આવશ્યક મરામતની યાદી તેના મનમાં ગોઠવાવા લાગી.
દુકાનદારને તે સમાચાર મળતાં જ તેઓ પોતાની દુકાનને ન વેચાતે કેટલેક માલ હવે સારા નફાથી વેચાઈ ગયેલે માનવા લાગ્યા.
દાક્તરને એ સમાચાર મળતાં જ તે મનમાં ઘાટ ગોઠવવા લાગ્યો કે, પિતે કિનાના છોકરાને ઉપચાર કરવાની ના પાડી તે ભૂલ શી રીતે હવે સુધારી લેવી.
દેવળ આગળના ભિખારીઓ પાસે આ સમાચાર પહોંચતાં તેઓને આનંદનાં ગલગલિયાં થવા લાગ્યાં, કારણ અચાનક નસીબદાર બની ગયેલા ગરીબ માણસ જે દાનેશરી બીજે કોઈ હેતો નથી. ,
માછીઓ પાસે ખેતી ખરીદનારા ઝવેરીએ તેમની નાની દુકાનોમાં બેઠા બેઠા કલ્પનાના ઘેડા દોડાવવા લાગ્યા. તે બધા ખરી રીતે એક જ ઝવેરીના પગારદારો હતા; પણ જુદા જુદા સ્વતંત્ર વેપારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org