________________
થોડી વારમાં પથ્થર-ચૂનાનાં મકાનોવાળે શહેરને ભાગ શરૂ થયે. મકાનની બહારનાં કંપાઉંડની કઠેર ભી તેની અંદરના બગીચાઓના શીળા ભીના પવનના ઝપાટાની સાથે પાંજરામાં પૂરેલાં પંખીઓના કલરવનો અવાજ સંભળાઈ રહ્યો હતો. સરઘસ દેવળ પાસે થઈને પસાર થયું ત્યારે તેની સંખ્યા વધીને ખાસી મટી થઈ ગઈ હતી. સામા મળતા દરેકને ધીમા સ્વરે કહી દેવામાં આવતું કે, બાળકને વીંછી કરડો છે; તેનાં માબાપ તેને દાક્તર પાસે લઈ જાય છે.
દેવળ પાસેથી જોડાયેલા ભિખારીઓએ જુઆનાનું જૂનું ઝાંખું પડી ગયેલું વસ્ત્ર જોયું તથા તેની ઉપરના એાછાડનાં બાકોરાં ગણ્યાં. તેઓએ કિનના ધાબળા
ની ઉંમર પણ ગણી કાઢી તથા માથું ધુણાવીને છે. જણાવી દીધું કે, આવાં ગરીબડાં દાક્તરને ત્યાં જાય તેથી શું વળે? છતાં તેઓ પણ દાક્તર શું કહે છે તે જોવા-સાંભળવાની ઇંતેજારીથી જ આ સરઘસમાં જોડાયા.
એ ચાર ભિખારીએ શહેરના દરેક માણસની ગતિરીતિ જાણતા હતા. દાક્તરને તે તેઓ ખરેખર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org