________________
પરંતુ અત્યારે તેણે અચંબામાં નાખી દે તેવું કામ કયું –
દાક્તરને બેલાવ!” તેણે બૂમ પાડી.
અને આખા ટેળામાં છેડા સુધી ગણગણાટ પહોંચી ગયા કે, “જુઆના દાક્તરને બેલાવવા કહે છે !” | દાક્તરને બોલાવવા ઈચ્છવું એ, આ લેકમાં નવાઈની વાત હતી. કારણ કે, ગોરે દાક્તર પથ્થરચૂનાના મહેલમાંથી આવતાં તેડાંને પણ પહોંચી વળી શકતે નહતું, ત્યાં વળી આવાં ઘાસપાનનાં ઝૂંપડાંમાં કેમ કરીને આવે
આંગણામાં ઊભેલાઓએ કહ્યું: “દાક્તર અહીં નહીં આવે.” બારણામાં ઊભેલાએ પણ તે વાત ઝીલી લઈને કહ્યું, “દાક્તર અહીં નહીં આવે.” કિનેએ જુઆનાને કહ્યું, “દાક્તર અહીં નહીં આવે.”
જુઆનાએ માં ઊંચું કરી કિને તરફ સિંહણ જેવી નજર કરીને કહ્યું, “તો આપણે તેને ત્યાં ચાલે.”
જુઆનાએ એક હાથે પિતાને ઓછાડ માથા ઉપર નાખ્યું અને બીજા છેડાનું ખોયું બનાવી તેમાં રડતા બાળકને લીધું. બારણામાં ઊભેલાં લેકે વચ્ચેથી ખસી તેને જવાને માંગ કરવા લાગ્યાં. કિને તેની પાછળ ચાલ્યું. તેના જાતભાઈઓનું ટેળું પણ સાથે થયું; કારણ કે, આ તે આખી બિરાદરીને પ્રસંગ હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org