________________
હિંદુસ્તાનની ગરીબાઈ પરદેશમાં ભાવ સારા ઊપજે છે, તેથી દેશમાંથી વસ્તુઓની નિકાસ નથી થતી, એ વસ્તુ તો આપણે સાબિત પણ કરી શકીએ તેમ છીએ. જે એમ સિદ્ધ થાય કે, હિંદુસ્તાનની ચીજોને ભાવ પરદેશી બજારમાં ગયાં પંદર વર્ષોથી એકસરખા જ રહ્યા છે, તો તેમાંથી શું ફલિત થાય? એ જ કે, કાં તો હિંદુસ્તાનમાં પોતામાં ભાવમાં કાળી વધારે થયો નથી, અથવા તે હિંદુસ્તાનના લોકે એટલા પરગજુ છે કે, તેમના પિતાના દેશમાં ભાવ વધ્યા હોવા છતાં, તેઓ પોતાની ચીજોને ભાવમાં જરા પણ વધારે કર્યા વિના હજારે ગાઉ દૂરનાં પોતાનાં ભાંડુઓને ખાવા માટે મોકલી આપે છે. એટલું જ નહીં, પણ કેટલાક દાખલાઓમાં તે, દેશમાં જે ભાવ ઊપજે છે, તેથી પણ ઓછું લઈને !
હું નીચે હિંદુસ્તાનની નિકાસની કેટલીક મુખ્ય ચીજોના ગયાં પંદર વર્ષથી ઇંગ્લંડના બજારમાં ઉપજતા ભાવોના આંકડાઓ * આપું છું.
હદ્રટને દર ઈ. સ. પા. શિ. ૫. ઈ. સ. પા. શિ. પે. ૧૮૫૭ ૨–૮–૮ ૧૮૬૬ ૪–૧૨–૦ ૧૮૬૦ ૧–૧–૦ ૧૮૬૮ ૩–૧૨-૮ ૧૮૬૩ ૮-૧૮-૧૧ ૧૮૭૦ – ૫-૬
અમેરિકન યુદ્ધને કારણે રૂના ભાવોએ વચમાં ઉછાળે માર્યો હતો, પણ હવે ધીમે ધીમે ભાવ તેમની જૂની સ્થિતિએ આવતા જાય છે.
છે “પાર્લામેન્ટરી રીટર્ન-ઈ. સ ૧૮૭૦ માંથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org