________________
હિંદુસ્તાનની ગરીબાઈ ઉપરની ખેતીની પેદાશમાં હવે ઢોરઢાંખરની આવક, ઉદ્યોગહુન્નરની આવક, અફીણની આવક, કોલસાની અને બીજી ખાણની આવક, તથા પરદેશ સાથેના વેપારના નફાની આવક ઉમેરવી જોઈએ. મીઠું, કેલસા, અફીણ અને વેપારના નફા પેટે હું ૧૭,૦૦૦,૦૦૦ પાઉંડ ઉમેરું છું. ઉદ્યોગહુન્નર અને ઢોરઢાંખરની આવક નકકી કરવા મારી પાસે કોઈ જ વિગતો નથી. પંજાબ પ્રાંત, કે જ્યાં શાલ, રેશમ વગેરેના હુન્નરે છે, ત્યાં બધાં કારખાનાંની કુલ પેદાશ સરકારી અહેવાલમાં ૩,૭૭૪,૦૦૦ પાઉંડ મૂકી છે. તેમાંથી કાચા માલની કિંમત બાદ કરવી જોઈએ. પછી જે રકમ રહે. તેને તે પ્રાંતના બીજા બધા બાકીના હુન્નર ઉદ્યોગોની પેદાશ ઉમેરવા માટે બમણું કરી લઈએ, તો પૂરતી થઈ રહેશે એમાં શંકા નથી. એ રીતે ગણતાં પંજાબની હુન્નરઉદ્યોગની આવક ૨,૦૦૦,૦૦૦, પાઉન્ડ ગણાય. હિન્દુસ્તાનના બીજા ભાગમાં કોઈ ખાસ હુન્નરઉદ્યોગ નથી. * બ્રિટિશ હિન્દુસ્તાનની કુલ વસ્તી પંજાબ કરતાં લગભગ દશ ગણી છે. એટલે આખા હિંદુસ્તાનની હુન્નરઉદ્યોગની આવક ૧૫,૦૦૦,૦૦૦ પાઉંડ ગણીએ, તે ભૂલ થવાનો સંભવ નહીં રહે. મધ્યપ્રાંતોની હુન્નર-ઉદ્યોગની કુલ પેદાશ સરકારી અહેવાલમાં ઈ. સ. ૧૮૭૦-૧ના વર્ષ માટે ૧,૮૫૦,૦૦૦ પાઉંડ મૂકી છે. ત્યાં કોઈ ખાસ કીમતી હુન્નર-ઉદ્યોગો તો છે નહીં. એટલે કાચા માલની કિંમત બાદ કરતાં ૯૦લાખની વસ્તી પટે હુન્નર-ઉદ્યોગની કુલ આવક ૮૫૦,૦૦૦ પાઉંડ ગણાય. એ
• આ કથન ઈ. સ. ૧૮૭૬ની સાલને માટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org