________________
"૧૮૮
હિંદુસ્તાનની ગરીબાઈ માણેકબાઈ ઉપર આવી પડ્યો. માણેકબાઈએ પોતાના ભાઈની મદદથી ભારે વૈર્ય અને ખંતપૂર્વક બાળકને ઉછેરવા માંડ્યો. પુત્રઘેલી માતાએ પાંચમે વરસે તો પુત્રને માટે ગુલબાઈ નામની એક સારી કન્યા પણ શોધી કાઢી અને લગ્ન પણ પતાવી નાખ્યાં !
“સોટી વાગે ચમચમ, વિદ્યા આવે ઘમઘમ'ના સિદ્ધાંત ઉપર ચાલતી ધૂડી નિશાળમાં દાદીનું શિક્ષણ શરૂ ચયું. દાદીએ મહેતાજીની પ્રીતિ સંપાદન કરી હતી એટલે જ્યારે પ્રાથમિક શિક્ષણ પૂરું થયું ત્યારે એ મહેતાજીએ જ દાદીની માને સમજાવ્યાં અને એને અંગ્રેજી નિશાળે બેસાડ્યો. તે વખતે અંગ્રેજી શાળામાં કંઈ છે લેવામાં આવતી નહોતી અને આ મફત શિક્ષણની સગવડને લીધે જ પોતે અભ્યાસ કરવા પામ્યા એ વસ્તુની દાદાભાઈના મન ઉપર ખૂબ અસર થઈ હતી અને તેને પરિણામે મોટપણે એમણે હંમેશાં મફત શિક્ષણની હિમાયત કરી હતી.
શાળાનો અભ્યાસ પૂરો થતાં જ એમણે એલ્ફિન્સ્ટન ઈન્સ્ટિટયુટમાં પ્રવેશ કર્યો અને પિતાની બુદ્ધિમત્તા અને ખંતથી અનેક ઇનામો જીતી અધ્યાપકોની પ્રશંસા અને પ્રીતિ પ્રાપ્ત કર્યા. ઈ. સ. ૧૮૪૫માં એમને અભ્યાસ પૂરો થયો. એ વખતના મુંબઈના વડા ન્યાયાધીશ સર અસ્કન પેરી બોર્ડ ઓફ એજ્યુકેશનના પ્રમુખ હતા. તેમણે દાદાભાઈની બુદ્ધિશક્તિ જોઈને કહ્યું કે જે એની કામના ગૃહસ્થો અરધો ખર્ચ આપતા હોય તો બાકીનો -અરધો ખર્ચ આપીને હું દાદાભાઈને વિલાયત બેરિસ્ટર થવા મેકલવા તૈયાર છું. પણ આ જ અરસામાં બે ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org