________________
સ્વર દાદાભાઈનું જીવનચરિત્ર શિવાઈ સત્તાને અંત આવ્યો હતો. કંપનીની સત્તા જામી હતી અને મહેમાહે લડનારા મરાઠાઓને બદલે સાત સમુદ્ર પારના ન્યાયનિષ્ટ ગોરાઓના રાજ્ય પ્રત્યે લોકમત અનુકૂળ બનતો જતો હતો. એ અરસામાં એક પારસી કુટુંબ નવસારીથી મુંબઈ આવ્યું. તે કુટુંબમાં માત્ર પતિ પત્ની બે જ જણ હતાં. પતિ નવરોજી દોરડી છ સૈકાથી. પિતાના કુટુંબમાં ચાલતો આવેલે અધ્યારૂને વ્યવસાય કરી સંસાર ચલાવતા હતા અને પત્ની માણેકબાઈ પિતાની કરકસર અને ઘરરખુપણાથી એ ગરીબ સંસારમાં સુખ અને શાંતિ સીંચતાં હતાં. આ ગરીબ પણ સંતિથી અને સુખી કુટુંબમાં સને ૧૮૨૫ સપ્ટેમ્બરની ૪ થી તારીખે એક પુત્રને જન્મ થયો અને તેનાં માતાપિતાએ અપૂવ આનંદ અનુભવ્યો. બાળકનું નામ દાદાભાઈ પાડવામાં આવ્યું.
નાને “દાદી' ચાર વરસનો થયો ન થયો ત્યાં તે નવરેજીનું અવસાન થયું અને એને ઉછેરવાને બધે ભાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org