________________
લૉરેઈનની અદેખાઈ
૭૩ “એ જ જવાબ આપતાં આવડે છે ને? હવેથી ફરી જે કોઈ એવો જવાબ આપશે, તેને હું નોકરીમાંથી રુખસદ જ આપી દઈશ.” આટલું બોલી તેણે ઊભા થઈ ટેબલ ઉપરથી, અભરાઈ ઉપરથી અને બારી ઉપરથી, ફૂલદાનીઓ, ગુલાબદાનીઓ, અત્તરદાનીઓ, જે હાથમાં આવ્યું તે લઈ લઈને જમીન ઉપર ફેંકવા માંડ્યું.
ધમાલ સાંભળી પહેરેગીરોનો કૅપ્ટન તરત ત્યાં દોડી આવ્યો અને પૂછવા લાગ્યો, “આપ નામદારનો શો હુકમ છે?”
કશો જ નહિ, મારા કમરામાં વાજિત્રો નથી વાગતાં એની ખોટ હું પૂરી કરું છું, એટલું જ.”
કૅપ્ટને તરત નામદારના દાક્તરને બોલાવવા માણસ મોકલ્યું, પણ દાકતર આવે તે પહેલાં જ માલિકૉર્ન આવીને હાજર થયો અને પ્રિન્સને સંબોધીને બોલ્યો, “મૌસિનોર, શવાલિયેર દ લૉરેઈન હાજર છે.”
ડયુકે માલિકૉર્ન તરફ હસીને આભારદર્શક નજરે જોયું. તે જ વખતે લૉરેઈન અંદર દાખલ થયો.
૧૧ લૌઈનની અદેખાઈ
મૂક દ' ઓરલે રાજી થતો બોલી ઊઠ્યો, “કેમ ભાઈ, ક્યાં અલોપ થઈ ગયો હતો?”
“નામદાર, હું વળી અલોપ ક્યાં થવાનો હતો? મારી જરૂર તમને નથી એવું મને લાગ્યું એટલે હું ચાલ્યો ગયો.”
જરા સમજાય તેમ બોલ જોઉં!”
“આપ નામદાર પાસે મારા કરતાં વધુ રમૂજ આપે એવા સોબતીઓ છે, અને હું તે લોકો સાથે હરીફાઈમાં ઊતરી શકું એવું મને લાગ્યું નહિ, એટલે મેં જગા ખાલી કરી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org