________________
૩૫
રાજાજી પત્તાની બાજી રમે છે “આજે હપતા ભરવાના છે, એવું હું જાણતો નહોતો.” “કાલે આપણે ત્રીજો અને છેલ્લો હપતો ભરવાનો છે.” “ત્રીજો હપતો?” “હા, હા, દોઢ લાખ ફ્રાંક બેઇઝમોને ભરવાના છે, તેનો.” “બેઇઝમૉ? તે કોણ છે વળી?” “બાતિલનો ગવર્નર.” હાં, છે તો ખરી; પણ તેને હું શા માટે દોઢ લાખ ક્રાંક ભરું
છું?”
“આપણે લુવિયેર અને ત્રાંબલે પાસેથી બાતિલનું ગવર્નર પદ બેઇઝમો માટે ખરીદ્ય છે ને?”
“કંઈક ઝાંખી યાદ આવે છે ખરી. પણ આપણે એ પદ બેઈઝમ માટે શા કારણે ખરીધું હતું, તે મને યાદ દેવરાવશો?”
પ્રથમ તો બેઇઝમૉ ઉપર ઉપકાર કરવાનું અને પછી આપણી જાત ઉપર ઉપકાર કરવા! બાલિનો ગવર્નર આપણો માણસ હોય તો કોઈ વખત કામ આવે ને? આપણે જે સ્થિતિમાં છીએ, તે સ્થિતિમાં બાસ્તિલ વચ્ચે અને આપણી વચ્ચે કેટલુંક છેટું રહેતું હોય એમ તમને લાગે છે?”
હા પણ, તેટલા માટે દોઢ લાખ ફાંકની રકમ તમને વધારે પડતી નથી લાગતી? અને એક વાર બાસ્તિલમાં કેદ પકડાયા, એટલે પછી ભૂતકાળમાં આપણે તેના ગવર્નરને કંઈ પણ મદદ કરી હોય, તે શા કામમાં આવે?”
“મહાશય, બેઇઝમાં જેવો માણસ ઉપકાર ભૂલે તેવો નથી. અને તેવા માણસ ઉપર કરેલો ઉપકાર હંમેશ સારું વળતર આપે જ.”
“ઉપકાર કરવામાંથી પાછું વળતર જોવાનું?”
“મહાશય, તમારે એ વળતર તરફ દૃષ્ટિ રાખવાની નથી; એ મારું કામ છે.”
તો શું તમારી કોઈ યોજના છે?” “હા જી, હું ના કહેતો નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org