________________
૨૭
બાતિલનો ગવર્નર “તો જરા ચાંદનીમાં બહાર આવો.” એમ કહી દાન તેને બહાર લઈ ગયો. પછી તેણે તેને પૂછયું, “હવે ગડગડવા માંડો – શી વાત છે?”
“બહુ લાંબી વાત છે.”
“પણ આમ રડતા રડતા શાને બોલો છો? હું શરત મારવા તૈયાર છે કે, તમારી બાસ્તિલની આવક વર્ષે પચાસ હજાર ફાંકની તો ઓછામાં ઓછી છે જ.”
“તો તો ભગવાનની દયા જ કહેવાય ને!”
અરે જુઓ, સારું વર્ષ હોય કે ખરાબ, ત્યાં પચાસેક કેદીઓ તો એવા કાયમ હોય જ છે, જેમના દરેકના કારભારમાંથી તમને વર્ષે દહાડે હજાર ફ્રાન્કની ઊપજ થાય. તમારી મર્ઝની જાગીરમાંથી બીજી આવક થતી હશે તે જદી.”
પણ મોટાભાઈ, તમને તમારી નોકરી સીધી રાજાજી પાસેથી મળી છે; પણ મેં તો મારું ગવર્નર-પદ ત્રાંબલે અને વિયેર પાસેથી ખરીદ્ય છે, જેઓ મારી પહેલાં બાસ્તિલના ગવર્નર હતા.”
ખરી વાત ! અને ત્રાંબલે માણસ એવો નહોતો કે જે બાસ્તિલનું ગવર્નર-પદ તમારા હાથમાં મફત જ આવવા દે.”
“અને એવા જ લુવિયર પણ એટલે, મારે ત્રાંબલેને ૭૫ હજાર ફ્રાંત પાઘડીના કબૂલવા પડ્યા અને તેટલા જ લુવિયેરને.”
“ખણખણતા?”
અરે, ખણખણતા! પણ એટલાથી જ પત્યું હોત તો ઠીક જ થાત ને! ઉપરાંત, બાતિલની શરૂઆતની ત્રણ વર્ષની કુલ આવક વર્ષે પચાસ હજાર ફાંકા લેખે પણ તેમને જ પધરાવવાની !”
“આ તો ભારે સખત શરતો કહેવાય.”
“અરે એટલું જ નહિ, ત્રણ વર્ષ સુધી દર વર્ષે પચાસ હજારનો હપતો હું ચૂકતે ન કરું, તો આ સોદો ફોક થાય, અને તેઓ ફરી પાછા આપોઆપ ગવર્નરપદે આવી જાય! રાજાજીએ પણ એ શરતો મંજૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org