________________
૧
દાતનાં દ વાઈનો હિસાબ લે છે
બીજાઓની ઇજ્જત અને સ્વમાનનો ઘાત થાય એવું કરતાં ખચકાશો, એવું હું માનું છું. એટલે, જુઓ, મોં૦ દ વાઈ, તમે હું કહું છું તે બરાબર ધ્યાનપૂર્વક સાંભળી લો—હવેથી જો તમારા નામ સાથે સંકળાયેલી એવી કોઈ નિદાની વાત મારે કાને આવી, તો તમારી ખેર નથી.”
“મોંશ્યોર, કશા મુદ્દા વગર આવી ધમકી આપવાનો કંઈ અર્થ નથી,” દ વાદે જણાવ્યું.
“જુઓ મા૦ ૬ વાર્દ, હજુ મેં મારે કહેવાનું પૂરું કર્યું નથી. હમણાં જ તમે એક બાનુની અને તમારા પિતાની ઇજ્જતની વાત કરી. તમને લોકોની અને ખાસ કરીને સ્ત્રીઓની ઇજ્જત વિષે આવો ઊંચો ખ્યાલ છે, એ ખુશી થવા જેવી બાબત છે. તો પછી તમે મોં૦ બ્રાજલૉનને એમ કેમ કહ્યું હતું કે, તેમની મા કોણ છે એ તે જાણતા નથી? એ કોઈની ઇજ્જત અને સ્વમાનનો સવાલ ન થયો વારુ?”
રાઓલની આંખો ચમકી ઊઠી. તેણે તરત જ કહ્યું, “શવાલિયેર દાતૅનાં, એ મારી અંગત બાબત છે, અને તે હું જ પતવી લઈશ.”
દાતે નાંએ તેને એક બાજુએ ખસેડીને કહ્યું, “જુવાન, મને વચ્ચે દખલ ન કરીશ.” અને પછી દ વાર્દ તરફ જોઈને કહ્યું, “જુઓ આ બાબતનો ફેંસલો તરવાર વડે લાવી શકાય તેવો નથી; તેથી હું આ બધા ઇજ્જતદાર સદ્ગૃહસ્થોની સામે તે વસ્તુ ચર્ચા લેવા માગું છું. તો બોલો, માઁ દ વાઈ, આ જુવાન માણસ તથા સાથે તેનાં માતા અને પિતાને લાંછન લાગે એવું કહેવા માટે તમારી પાસે શા પુરાવા છે?”
“હું માનું છું કે, દરેક માણસ પોતાને મનફાવતું બોલવાને સ્વતંત્ર છે, અને ખાસ કરીને પોતાની વાતની સાબિતી તરવારથી આપી શકે તેમ હોય ત્યારે.”
“એ કંઈ દલીલ ન થઈ; તમારા જેવા તુચ્છ પ્રાણીનું જીવન ભલે ફેંકી દેવા જેવું હોય, કારણ કે આમેય તે સારી પેઠે ગૂંચવાયેલું જ હોય છે; પણ તેથી બીજાં માણસોની જિંદગી અને ઇજજત તમે ખતરામાં મૂકી શકો નહિ. ઉપરાંત, તરવારથી પોતાની વાતની સચ્ચાઈ પુરવાર કર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org