________________
સંજોગ-વિજોગ
૩૫૭ “તો ઠીક, પણ રાજાજીને તું કયા ભાવથી ચાહે છે?”
“રાજાજીને હું સર્વતોભાવે ચાહું છું તે મારા સર્વસ્વ છે,” લા વાલિયેરે ખેદ અને શરમથી માં નીચું કરી દઈને જવાબ આપ્યો; “પણ બહેન, હવે તું જ મને આ બાબતમાં શું કરવું તેની સલાહ આપ.”
“રાઓલ મારા મિત્ર છે; અને રાજાજી તો માલિક છે; હું એ બેમાંથી કોને દગો દેવાની સલાહ આપું, તે મને પણ સમજાતું નથી.”
દગો?”
હાસ્તો; રાઓલના હૃદયને તારી બેવફાઈથી કેવો કારી ઘા થશે, તે મારા કરતાં કદાચ તું વધારે સમજી શકશે.”
બેવફાઈ?” “એવા પ્રશ્નો મારી આગળ પૂછયા કરવાનો કશો અર્થ નથી.”
“પણ બહેન, એ બંનેમાંથી કયા સ્થાનેથી હું ઈજજતભેર છૂટી થઈ શકું, અને કેવી રીતે, તેની સલાહ તું મને આપ.”
“જો બહેન, આ એક એવી ગૂંચવણ છે કે જેમાંથી સીધો કે સહીસલામત રસ્તો કોઈ બતાવી શકે તેમ નથી. કારણકે આમાં કેટલાયનાં જીવન ઊભાં થવાનો કે રગદોળાઈ જવાનો સવાલ છે. રાજાજીનો સ્વભાવ તું જાણે છે, અને રાઓલનો સ્વભાવ નું એથી પણ વિશેષ જાણે છે. આ મુશ્કેલીમાં હું કેવળ તારી મદદમાં રહી શકે.”
તો તું મારી મમાં જ રહેશેને?”
“તે માટે તો હું જાતે ચાલીને કહેવા આવી છું પણ બદલામાં તારે મારી મદદમાં પણ રહેવું પડશે.”
“બહેન, શું તું મને ઓળખતી નથી?”
“ઓળખું તો શું પણ ત્યાર પછી સ નદીમાં ઘણું પાણી વહી ગયું છે!”
“એટલે?”
“એટલે, બ્લવામાં હતી ત્યારે તું અત્યારની પેઠે ફ્રાંસની બીજી રાજરાણી હતી? કહે જોઉં!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org