________________
પ્રેમ-પંક
૩૫૬
જવાનું બારણું ઉઘાડું હોય તોપણ એકદમ ખબર ન પડે. પછી માપસરની એક પાતળી નિસરણી સેતેગ્નોની ઓરડીમાં આવી ગઈ.
૨
માંતાલે મૅડમના કમરામાંથી થતી બધી કારવાઈથી જાણકાર રહેતી, અને તે પ્રમાણે લા વાલિયેર કે રાજાજીને ચેતવી દેતી.
એક વખત લા વાલિયેર રાજાજી સાથે નીચે સેતેગ્નોના કમરામાં ઊતરી આવેલી હતી, તેવામાં મેતાલેએ ઉપર લા વાલિયેરના કમરામાં આવીને નિશાનીના ટકોરા મારવા માંડયા, લા વાલિયેર તરત ઉપર આવી એટલે માંતાલેએ તેને કહ્યું, “બહેન, મૅડમ હવે હાડ આવી ગઈ છે; અને ડ્રાંસમાં કોઈ ઉપાય હાથ આવે એમ ન લાગવાથી તેણે ઇંગ્લેંડ તરફ નજર દોડાવી છે: વાઇકાઉંટ દ બ્રાજૉનનો તારા હાથ ઉપર હક છે એમ માની, તેમને તાબડતોબ ઈંગ્લેંડથી પાછા તેડાવ્યા છે, જેથી અહીં આવીને તે તારો કબજો લઈ લે.”
લા વાલિયેર એકદમ મરણતોલ ઘાયલ થઈ ગઈ હોય તેમ ભાગી પડી. રાઓલનો આકરો સ્વભાવ તે જાણતી હતી.
“આજે રાતે જ મૅડમે એક દૂતને અગત્યનો-તાકીદનો કાગળ લઈ ઈંગ્લેંડ પોતાના ભાઈ પાસે મોકલ્યો છે. હવે તારે એક વાત ખરેખર નક્કી કરી લેવાની થાય છે: તું બ્રાલૉનને ચાહે છે?”
“તેમને હંમેશ મારા ભાઈ તરીકે ચાહ્યા છે.”
“પણ રાઓલ તને એ ભાવથી ચાહે છે?”
64
""
ના; તે તો મને પ્રેમી તરીકે જ ચાહે છે.
“તે તેમના એ ભાવને ઉત્તેજન મળે એવું કશું નથી કર્યું, એમ
તું કહેવા માગે છે? હું તમારા લોકોના પ્રેમની સાક્ષી છું.”
‘અલબત્ત, મને તેમના તે જાતના ભાવની સમજ પડે તે પહેલાં ઘણો વખત વીતી ગયો; અને ત્યાર પછી મારે તેમને શી રીતે ના પાડવી, એ હું સમજી શકી નહિ.”
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org