________________
૩૫૪
પ્રેમ-પંક “તમારી રખાત તરીકે તેને પાળીશ; બસ?” રાજા એ શબ્દો સાંભળી એકદમ ઊભો થઈ ગયો; તે સમજી ગયો કે મેડમને આથી વધુ નમાવવી શક્ય નથી. તે એનો આભાર માની ચાલતો થયો.
દાનએ રડીને લાલ થયેલી રાજાની આંખો જોતાં જ બાજુએ ફરીને કહ્યું, “જેને માટે રાજાજીએ આંસુ રેડ્યાં છે, તેને રડાવવાની હિંમત કરનારાં હવે સાવધાન!”
પર સંજોગ-વિજોગ
લા વાલિયર મૅડમની તહેનાતમાં પાછી ગોઠવાઈ ગઈ; પરંતુ રાજાને હવે પોતાની અને તેની મર્યાદા સાચવવામાં આકાશ-પાતાળ એક કરવાનાં થયાં. મા આગળ, રાણી આગળ, મૅડમ આગળ – સૌ આગળ છોભીલા ન પડાય તેવી રીતે જ તેણે વર્તવાનું હતું.
માલિકૉર્ન જેવો ચાલાક માણસ પોતાની બધી કુશળતા સાથે રાજાઅને આ પ્રેમ-પ્રકરણમાં કામે લાગી ગયો. તે સમજી ગયો હતો કે, મૅડમના કમરામાં રહેતી માંતાલની મદદથી, પોતે બહારથી અલિપ્ત રહીને, રાજાજીની લા વાલિયેર સાથેની મુલાકાતો ગોઠવવામાં બહુ સારો ભાગ ભજવી શકે તેમ છે, અને રાજાજી તેની આ સેવાની ભારે કદર કર્યા વિના નહિ રહે!
મેડમે પ્રથમ તો લા વાલિયેરને પોતાના કમરાની તદ્દન નજીકના કમરામાં રહેવાનું ગોઠવ્યું, જેથી પોતાની જાણ બહાર કોઈ તેની મુલાકાતે આવી જ ન શકે. માલિકોને થોડા જ વખતમાં બગીચામાંથી એક નિસરણી મૂકને લા વાલિયેરના કમરામાં પેસવાનો માર્ગ વિચારી કાઢયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org