________________
સ્ત્રીઓની દાઝ
૩૨૫
બંધ થશે, ત્યારે મારું હૃદય ભાગી પડશે.” આટલું કહી રાજાએ પોતાના હાથ ઉપરથી મોજું ઉતારી નાખી એ હાથ બારી ઉપર મૂકી દીધો. લા વાલિયરે પણ પોતાના હાથ ઉપરનું મોજું ખેંચી કાઢી તે હાથ, રાજાના હાથમાં મૂકી દીધો.
રાજાએ કહ્યું, “સાવધાન; હવે રાજદરબારની ખરી કાવાદાવાની તથા દાવપેચની જિંદગી શરૂ થવાની છે. તેની આંટીઘૂંટીઓનો પાર નહિ રહે; આપણે બંનેએ એટલું યાદ રાખવાનું કે, દિવસ દરમ્યાન કોઈ પણ કારણે આપણને સાચી ખોટી ગમે તેટલી ચિતા, હતાશા, કે ગેરસમજ થયાં હોય, તો પણ આપણે ફરી મળ્યા વિના, ખુલાસો કર્યા વિના, કે છેવટે આશ્વાસનનો સંદેશ મોકલ્યા વિના તે પછીની રાત પસાર નહિ થવા દેવી. અને એ મુલાકાત -ખુલાસો - કે – સંદેશ મળે એટલે પછી મનની ગમે તેવી ગેરસમજ કે ચિંતા કે ગુસ્સો એકદમ ફગાવી દેવાં.”
४८
સ્ત્રીઓની દાઝ
પૅરીસ પહોંચ્યા બાદ રાજાજીને તો તરત કાઉંસિલમાં હાજરી આપવાની થઈ. રાણી મારિયા થેરેસા રાણી-માતા ઍન સાથે દિવસનો મોટો ભાગ બેસી રહી. અચાનક આંસુથી આંખો છલકાવતી તે બોલી ઊઠી –
“રાજાજી મને હવે ચાહતા નથી; મારું શું થશે?”
જાઓ, જાઓ, તમારા જેવી પત્ની જેને હોય તે પતિ હંમેશ પોતાની પત્નીને ચાહે જ.”
“માતાજી, પણ રાજાજી એટલા બધા સુંદર છે કે, તેમના ઉપર સૌ કોઈ હાર્દિક પ્રેમ કરે, અને રાજાજી ઉપર કોઈના તેવા ગાઢ પ્રેમની અસર ન જ થાય તેવું ન બની શકે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org