________________
૨૯૯
કં યુદ્ધ “મેંશ્યોર માનિક!” “મેંશ્યોર દ વાર્દ!” “તમે મારું અપમાન કરવા માગો છો?”
તમને જે લાગે તે; પણ કોઈ સગૃહસ્થ આમ આવીને કહે નહિ કે, “મેં બીજા સદ્ગુહસ્થને એક ખૂણે લઈ જઈ મારી નાખ્યો છે!” દેખીતું જ એ કેવું વિચિત્ર છે?”
માનિકૉએ રસ્તો બતાવવા દ વાર્દને સાથે લીધો.
મેદાને આવ્યા ત્યારે વચ્ચે ઘોડો મરેલો પડ્યો હતો, અને ઘોડાની જમણી તરફ ઘાસ ઉપર ઊંધે માંએ કાઉંટ લોહીના ખાબોચિયામાં પડેલો હતો. જયારથી ત્યાં પડ્યો હશે ત્યારથી તે જરાય હાલ્ય ચાલ્યો નહીં હોય એમ લાગતું હતું.”
માનિકોંએ ઘૂંટણિયે પડી કાઉંટને હાથમાં લીધો. તેનું શરીર ઠંડું પડી ગયેલું હતું. તેણે તેને જમીન ઉપર પાછો પડી જવા દીધો. આસપાસ ફંફોસતાં માનિકોના હાથમાં દ ગીશની ભરેલી પિસ્તોલ આવી.
તે તરત જ મડદા જેવો ફીકો પડી જઈ ઊભો થયો અને બોલી ઊડ્યો, “વાહ તેમની પિસ્તોલ હજુ ભરેલી છે, અને તે મરણ પામ્યા છે.”
“મરી ગયા છે ને?”
“હાપણ હવે મેચ્યોર દ વાર્દ બોલી નાખો કે, તમે તેમની સાથે દ્વયુદ્ધ નથી ખેલ્યા પણ દગાબાજીથી તમે તેમનું ખૂન કર્યું છે. મહેરબાની કરી નાહક જીભાજોડી ન કરશો. તમે ત્રણ ગોળીબાર કરી નાખ્યા, પણ તેમની પિસ્તોલ હજુ ભરેલી છે. તમે તેમના ઘોડાને પણ મારી નાખ્યો છે. પણ દ ગીશ જેવો કાબેલ નિશાનબાજ તમને કે તમારા ઘોડાને કશું ન કરી શકે, એમ માનવા હું તૈયાર નથી. તમે મને જ અહીં બોલાવી લાવવામાં ભૂલ કરી છે, અને મોંશ્યોર દ વાઈ, તમે હવે પરમાત્માને યાદ કરી લો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org