________________
રાજાજીની મુલાકાત
૨૭૭ છે; અને સામા માણસના અંતરની સાચી દિલેરી ઓળખવા જેટલો હું દુનિયાના અનુભવી છું. એટલે હું હવે તેમના જ હિતમાં લાગેલો છું.”
“તમે સારો માલિક શોધી કાઢયો છે,”દાનોએ જવાબ આપ્યો.
એરેમીસે હોઠ કરડયા; પણ પછી તરત પૂછ્યું, “પૉર્ચોસ આ બધામાં શી રીતે છે, એ તો તમે સમજી જ ગયા હશો?”
ના; પરંતુ જયાં સુધી કોઈ મિત્ર તેની ગુપ્ત વાત સામે આવીને મને ન કહે, ત્યાં સુધી હું પૂછપરછ કરવાની ઈંતેજારી દાખવતો
નથી.”
“તો હું કહું !”
ના, મને એ રીતે વિશ્વાસમાં લેવાથી મારે કોઈ રીતે બંધાવ્યું પડે તેમ હોય, તો એ કહેવાની જરૂર નથી.”
“ના, ના, પૉસ કરતાં બીજા કોઈને હું વધુ ચાહતો નથી. તે એવો ભલો ભોળો માણસ છે! તેની વાત સીધી જ હોય છે. અને બિશપ બન્યા પછી મને એવા સાદા સ્વભાવના ભોળા માણસો, જે કશી કાવતરાબાજી જાણતા નથી, તે વધુ ગમે છે. એટલે મને પૉર્થો મળ્યો, ત્યારે એ કેવળ ખાલી બેસી રહેલો હતો. મેં તેને વૅન આવવા કહ્યું. મેં૦ ફુકે મારા ઉપર બહુ ભાવ રાખે છે, અને જ્યારે તેમણે જાણ્યું કે, પૉર્થો અને હું બંને ભાઈ જેવા જ છીએ, ત્યારે તેમણે તેને પણ ઊંચે હોદ્દે પહોંચાડવાનું વચન આપ્યું– અને એ જ આખી વાતનું ‘રહસ્ય’ કહો તો રહસ્ય છે.”
“ખાતરી રાખજો કે તમારા રહસ્યનો હું કદી દુરુપયોગ નહિ
તો ભાઈ, હવે એક વાત પૂછું. તમે મૈ૦ ફુકેના માણસ બનવા ઇચ્છો કે નહિ? એમના મિત્ર બનવું તેનો અર્થ શો થાય, એ હું પૂરેપૂરું કહી રહું, ત્યાં સુધી મને વચ્ચે રોકતા નહિ.”
ઠીક, હું સાંભળું છું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org