________________
આંધી
આજે ફેબ્લોની આસપાસનાં ઉપવનોમાં વન-વિહારનો કાર્યક્રમ હતો; અને સૌ મંડળ આનંદ-વિભોર થઈ વન તરફ ઊપડયું. સ્ત્રીઓ ઘોડાગાડીઓમાં હતી અને રાજા વગેરે ઘોડાઓ ઉપર હતા.
એ વનવિહાર માટે નીકળતા પહેલાં રાજાએ કોલબેરની સૂચના મુજબ મ0 ફુકેને બોલાવીને વિધિસર વૉ મુકામે આનંદ-ઉત્સવનું નિર્મત્રણે માગી લીધું. ઉપરાંત, એ આનંદ-પ્રમોદનું આયોજન ફેબ્લો કરતાં પણ મોટા પાયા ઉપર “મૉ૦ ફકને છાજે તેવું’ કરવા પણ, રાજાએ, કોલબેરની કંજૂસાઈની ટીકા કરતાં કરતાં જણાવ્યું!
વનવિહારે ઊપડતી વખતે, શરૂઆતમાં તો, રાણી મારિયા થેરેસા અને મૅડમના કોચ પાસે પાસે જ રાજા ઘોડેસવારી કરતો રહ્યો હતો; પણ પછી ધીમે રહીને પાછળ પડતો પડતો લા વાલિયેર વગેરે તહેનાત-બાનુઓ બેઠી હતી તે કોચ પાસે તે આવી પહોંચ્યો.
પણ એટલામાં આખું સરઘસ થોમ્યું. તે બધાં જંગલની અધવચ આવી પહોંચ્યાં હતાં. ત્યાં આગળથી ત્રણ સુંદર છાયાદાર રસ્તા ફંટાતા હતા. રાણીઓ વગેરે ત્યાંથી ઊતરી પોતપોતાની તહેનાત-બાનુઓ સાથે પગે ચાલવા લાગી. કેટલાય નોકરો મોટા મોટા વાસોથી નીચે નમેલી ડાળીઓ પાછી ધકેલતા રહેતા હતા. દ ગીશ મેડમ પાસે આવીને વંદન કરી ઊભો રહ્યો. મેંશ્યોર તો લૉરેઈન અને માનિકો સાથે નદીની સહેલગાહે જ ચાલ્યા ગયા હતા – અહીં આવ્યા ન હતા.
૨૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org