________________
વનદેવતા કે જળપરીએ ન ધારેલું તેવું – ૨૧૭ તેની લગોલગ ઉપર પહોંચી ગયા, અને પેલાએ ચાવી લગાવી કે તરત જ બારણું ઉઘાડી અંદર દાખલ થઈ ગયા.
લા વાલિયર એક આરામ ખુરશીમાં નીચું માથું કરી બેઠી હતી, અને મેતાલે એક અરીસા સામે ઊભી રહી પોતાના વાળ ગોઠવતી હતી. રાજાજીને જોઈ તરત તે ચકીને બહાર નાઠી. લા વાલિયેર રાજાજીને જોઈ ઊભી થવા ગઈ પણ પાછી ગબડી પડી. સેતેશ્નો બારણા આગળ અવળો ફરી પડદા પાછળ ઊભો રહ્યો.
લા વાલિયેરે ફરી ઊભા થવા પ્રયત્ન કર્યો અને નીચા નમી આજીજી કરતાં કહ્યું, “સરકાર, મારી ધૃષ્ટતા બદલ ક્ષમા કરો; મેં આપને ઘણી તસ્દી આપી.”
“મારી મુલાકાત તમે શા માટે માગી હતી?”
“સરકાર, મેં ભારે અપરાધ કર્યો છે; આપ નામદારની હું ભારેમાં ભારે ગુનેગાર છું.”
“જરા પણ નહિ.”
“સરકાર, મારા પ્રત્યે આવો ગંભીર ઉપેક્ષાનો ભાવ ન દાખવશો; આપ આ ગુસ્સામાં બોલી રહ્યા છો, એ હું સમજું છું. મેં આપને ભારે ખોટું લગાડયું છે, પણ હું એટલી જ ખાતરી આપને આપવા માગું છું કે, મેં જાણીબૂજીને એ અપરાધ કર્યો નથી.”
કોઈ જુવાન છોકરી મજાકના ભાવમાં આવી જઈ, કશી રમત ખેલે, તેથી મારે ખોટું લગાડવાનું ન હોય. તમારી જગાએ બીજું કોઈ પણ હોત તો તેણેય એમ જ કર્યું હોત.”
“સરકાર, આપ શું કહો છો? જો મેં જાણીબૂજીને એ મજાક ખેલી હોય, તો તો મારા જેવી અપરાધિની બીજી કોઈ ન કહેવાય.”
પણ આટલું જ કહેવા માટે તમે આ મુલાકાત માગી હતી?” એમ કહી રાજા તરત પાછો ફરવા ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org