________________
ઍરેમીસનો પત્રવ્યવહાર
૧૪૯
પણ એટલામાં સામેના એક ટોળામાં કોલબેરને જોઈ, લૉરેઈને કહ્યું, “પેલા મ0 કોલબેર કદાચ રાજાજી વિષે તમને માહિતી આપી શકશે.” એમ કહી તે ત્યાંથી સરકી ગયો.
લૉરેન ચાલ્યો ગયો એટલે કુકે ભવાં ચડાવી કંઈક વિચારમાં પડી ગયો. ઍરેમીસે તેની તરફ કરુણાભરી નજરે ખિન્નતાથી જોયું અને પૂછયું, “કોલબેરનું નામ સાંભળી શા માટે આમ ચિંતામાં પડી ગયા? તમને તમારા પોતાના ભાગ્યોદયમાં વિશ્વાસ છે કે નહિ?”
મારા ભાગ્યોદયમાં એટલો બધો વિશ્વાસ છે કે, કોઈ માણસથી પ્રાપ્ત ન કરી શકાય તેવું બધા પ્રકારનું ધનવૈભવનું, માનપ્રતિષ્ઠાનું અને છેવટે પ્રેમનેહનું અંતિમ સુખ પ્રાપ્ત કરીને મને હવે ખાતરી થઈ છે કે, આથી આગળ કોઈ જાતનું ચડાણ કરવાનું રહેતું ન હોવાથી, મારે હવે નીચે ઊતરવાનું જ બાકી રહે છે!”
પણ ભાઈ, તમને સાંપડેલા બધા આનંદની વાત તમે મને કરતા નથી ને!”
“વહાલા બુજી, તમને એ બધા સાંસારિક આનંદોની વાતો ન કરી શકાય. તમે ગમે તેટલા મારી સાથે એકાત્મભાવે વર્તતા હો, તેમ છતાં મારે તમારા ઝભ્ભાની આમન્યા રાખવી ઘટે!”
પરંતુ પાદરી આગળ કબૂલાત વિધિની રૂએ બધી વાતો કહી શકાય ને?”
પણ એ જાતની અંતિમ કબૂલાતો તમારી આગળ કરવાની આવે, તો પણ મને ઘણી શરમ આવે.”
પણ એટલામાં તો કોલબેરને પોતા તરફ આવતો દેખી, કુકેએ રેમીસને બાજુએ ચાલ્યા જવા કહ્યું. “તે બદમાશ તમને મારી સાથે જોશે, તો તમને પણ ધિક્કારવા લાગશે.”
પણ તે ‘બદમાશ’ની સાથે વાતો કરવામાં વખત બગાડવાને બદલે તમે મૅડમની જ મુલાકાત કેમ લેતા નથી?”
મેડમની?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org