________________
૨૧ એરેમીસને પત્રવ્યવહાર દ ગીશના પ્રેમ-પ્રકરણનું આમ થાળે પડી ગયું. અચાનક એ બધું શા કારણે બન્યું તેની તેને કલ્પના પણ ન આવી શકી. તે દરમ્યાન શવાલિયેર દ લૉરેઈન દ વાર્દનો પત્ર વાંચવા પોતાને ઉતારે પાછો ફર્યો. તે કાગળમાં દ વાઘેં તેને લખ્યું હતું કે, કૈલે સુધી તે બકિંગહામ સાથે તંદ્વયુદ્ધ ખેલવા ગયો હતો, અને ત્યાં મરણતોલ ઘાયલ થઈ પથારીવશ થયો છે. પણ તેણે ખાસ તો એ વાત જણાવવા પ્રયત્ન કર્યો હતો કે, મૅડમ અને બકિંગહામ બંને એકબીજાના પ્રબળ પ્રેમમાં છે.
શવાલિયરે એ કાગળ તુચ્છકારથી ટેબલ ઉપર પાછો ફેંકી દીધો. કારણ કે, દવા આપેલી ખબરો વાસી થઈ ગઈ હતી, અને અહીં તો કેવાંય અવનવાં પ્રેમ-પ્રકરણો ફૂટી નીકળ્યાં હતાં. આવો વાસી ખબરોવાળો કાગળ વાંચવા પોતે પેલી બે જણીઓનો પીછો કરવાનું ચૂકયો, તે બદલ તેને ખેદ થવા લાગ્યો. કારણ, આવા બધા દરબારી ભેદ-ભરમાં જાણી લેનારો જ સૌથી વધુ લાભ છડી લઈ શકે.
રાતનો એક વાગી ગયો હતો, અને હવે તો સૌ પોતપોતાને ઠેકાણે પડી ગયું હશે, એમ માની, તેણે બારી અકસ્માત જ ઉઘાડી. પરંતુ તેનું ખુશનસીબ હજુ પરવારી ગયું નહોતું!–સામે જ એક પુરુષ અને એક સ્ત્રીના ઓળા તેણે આવતા જોયા. પેલી સ્ત્રી તો તેણે જોયેલી બેમાંની જ એક હોય એમ સ્પષ્ટ દેખાતું હતું– એટલે તેમને ઓળખી કાઢવા તે જલદી જલદી તે તરફ દોડ્યો.
દાદર ઊતરી તે જેવો બારણા તરફ વળવા જતો હતો, તેવામાં મેડમને એકલીને જ તેણે અંદર આવતી જોઈ. શવાલિયરને હવે તેની
૧૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org