________________
મધ્યરાત્રીનું પરિભ્રમણ
૧૩૭. અને તે રાજજી વિષે બહુ તુચ્છકારપૂર્વક વાત કરી હતી કેમ?”
“નામદાર, અમે નિર્જન જગાએ બેસી, દરબારનાં બધાં માણસોમાં કોણ સારું છે, એવી ચર્ચા કરતાં હતાં, એટલે મારા બોલવાનો એવો અર્થ થાય ખરો. પણ હું આશા રાખું છું કે, આપ નામદાર રાજાજીને મારે વિષે કંઈ ખોટું લાગ્યું હશે તો જરૂર સુધારી લેશો.”
“જરૂર હું પ્રયત્ન કરીશ; પરંતુ અંધારું હતું અને ગમે તેવી નીરવતા હોય, તો પણ રાજાજી તમો લોકોને ઓળખી શકે કે તમારી વાતો સાંભળી શકે એની જ મને ખાતરી નથી. એટલે પહેલાં તો હું એ જ ખાતરી કરી લેવા માગું છું.” *
પણ નામદાર, લા વાલિયેર જો ઓળખી શકાઈ, તો હું પણ ઓળખાઈ જ ગઈ હોઈશ એવો મને ડર છે. ઉપરાંત સેં તેગ્નોએ એ બાબતમાં તો હવે કશી શંકા જ રહેવા નથી દીધી.”
પણ તેં રાજાજી વિષે એવાં તે શાં અપમાનકારક વેણ કાઢયાં હતાં?”
“નામદાર, મેં અપમાનકારક કહી શકાય તેવાં વેણ નહોતાં કાઢયાં; પણ મારી સાથેની બાજુએ રાજાજી વિષે બહુ ભક્તિ ભાવ અને પ્રેમભાવભર્યા વેણ કાઢયાં હતાં, એટલે તેની સરખામણીમાં મારાં વેણ અપમાનકારક લાગે ખરાં.”
“એ મેતાલે છોકરી બહુ ભાન વિનાની છે.” “ના નામદાર, મેતાલે નહિ, લા વાલિયેર એ બધું બોલી હતી.”
મૅડમે ચોંકી ઊઠવાનો ઢોંગ કર્યો; જાણે તેણે એ વાત પહેલી વખત જ સાંભળી હોય. તે બોલી, “પણ રાજાજી એટલે દૂરથી તમારી વાતો સાંભળી શક્યા હોય કે નહિ, એ બાબતમાં જ મને શંકા છે; એટલે તે ખાતરી કરી જોવા જ આપણે તે સ્થાને જઈએ છીએ.”
પણ તેને લગભગ ખાતરી જ હતી કે, રાજાજીએ એ વાતો સાંભળી જ છે, અને તે સાંભળીને જ તેમનો ભાવપલટો થઈ ગયો છે. રોટલે તેણે ઝટપટ એક યોજના મનમાં ગોઠવી કાઢી અને રાજાજી માટે તુચ્છકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org