________________
૧૧૪ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ
૨. એ નવ તત્ત્વોના અસ્તિત્વમાં ભાવપૂર્વક શ્રદ્ધા. અથવા રૂચિ તેનું નામ સમ્યક્ત્વ અથવા દર્શન. [૧૫]
તે નીચેનાં દશ કારણેથી ઉત્પન્ન થાય છે:
(૧) નિસર્ગ: પાપરહિત કઈ પુરુષને કાઈને ઉપદેશ વિના, પિતાની નૈસર્ગિક બુદ્ધિથીર પાપપુણ્ય વગેરે તમાં,
એ સત્ય છે, એ એમ જ છે,' એવી શ્રદ્ધા અથવા રૂચિ ઉત્પન્ન થાય છે.
(૨) ઉપદેશ: કેાઈ સંતે કે કેવળજ્ઞાની જિને કરેલા ઉપદેશથી કોઈને એ તોમાં શ્રદ્ધા અથવા રૂચિ ઉત્પન્ન થાય છે.
(૩) આજ્ઞા : જેનાં રાગ, દ્વેષ અને અજ્ઞાન દૂર થઈ ગયાં છે, એવા કોઈ પુરુષને (આચાર્યાદિકની) આજ્ઞાથી શ્રદ્ધા અથવા રુચિ ઉત્પન્ન થાય છે.
(૪) સૂત્ર : અંગ કે અંગબાહ્યક સૂત્રગ્રંથનું અધ્યયન કરતાં કરતાં કાઈને શ્રદ્ધા અથવા રુચિ ઉત્પન્ન થાય છે.
અનાદિ, અનંત અને સ્વતંત્ર “ભાવ” નથી; પણ મોક્ષપ્રાપ્તિમાં ઉપયોગી થાય તેવું ય” છે. મોક્ષના જિજ્ઞાસુને જે વસ્તુનું જ્ઞાન અત્યંત આવશ્યક છે, તેને જ અહીં તત્ત્વ તરીકે ગણવી છે.
૧. જુઓ પા. ૭૯, ને. ૨; તથા પા. ૧૦૮, ને. ૨. ૨. મૂળ : સહસંમતિ.
૩. મૂળઃ છદ્મસ્થ. જેને હજી કેવળજ્ઞાન નથી થયું એ સાધક અવસ્થાને પુરુષ. જુઓ ટિપણુ નં. ૬, પા. ૧૭૨.
૪. જૈન આગમના એ બે વિભાગો માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ . ૭. પા. ૧૭૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org