________________
૮૮ મહાવીર સ્વામીને અંતિમ ઉપદેશ બ્રહ્મચર્યનો ભેદ થઈ જાય છે તેમને ઉન્માદ અને બીજા દીર્ઘકાલિક રોગ પ્રાપ્ત થાય છે; તથા તેઓ કેવળોએ કહેલા ધર્મમાંથી ભ્રષ્ટ થાય છે.
તે દશ પ્રસંગે આ પ્રમાણે છે:
૧. ભિક્ષુએ કોઈ પ્રકારના સંસર્ગ વિનાનાં શયન અને આસન વાપરવાં; તથા સ્ત્રી, પશુ અને નપુંસકના સંસર્ગવાળાં શયનાસન ન વાપરવાં.
૨. બ્રહ્મચારીએ માત્ર સ્ત્રીઓને કથા ન કહેવી કે સ્ત્રી સંબંધી કથા ન કરવી.
૩. બ્રહ્મચારીએ સ્ત્રીઓની સાથે એકાસને ન બેસવું.
૪. બ્રહ્મચારીએ સ્ત્રીઓની સુંદર કે આકર્ષક, મનહર કે મનોરમ ઈદ્રિ તરફ જેવું નહિ કે તેમનું ચિંતન ન કરવું.
પ. બ્રહ્મચારીએ કોટડા પાછળ રહીને, પડદા પાછળ કે ભીંત પાછળ રહીને, સ્ત્રીઓનું કૂજિત, રુદિત, ગીત, હસિત, સ્વનિત, કંદન કે વિલાપના શબ્દો ન સાંભળવા.
૬. બ્રહ્મચારી નિગ્રંથે પૂર્વે ભગવેલા ભેગે કે કરેલી ક્રીડાએ સંભારવી નહિ.
૭. બ્રહ્મચારીએ રસકસવાળો ઉત્તેજક આહાર ન લેવો. ૮. બ્રહ્મચારીએ પ્રમાણથી વધારે ખાનપાન ન કરવું.
૯. બ્રહ્મચારીએ શરીરની અને કપડાંની ટાપટીપ ન કરવી.
૧. મૂળ “સચને “સદન” એટલે કે ઘર – મુકામ એ અર્થ પણ સમજી લેવાનો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org