SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ વાપાત ૩૬૧ નિયમ છે. તેમ જ, મારા પ્રત્યે જે આજ્ઞાંકિતતા તેમણે ધારણ કરવી જોઈએ, તે આજ્ઞાંકિતતા ધારણ કરવા માટે બીજું કાઈ પ્રયેાજન મારી સમક્ષ રજૂ કરવામાં આવે, તે પણ હું સાંખી શકું તેમ નથી. મારી પુત્રીનું નામ આ બાબતમાં આગળ કરવામાં આવ્યું છે, તથા મારા વિરોધ દાખવવામાં અને મને છેાબીલેા પાડવામાં મારી પુત્રીને ઉપયાગ કરવામાં આવ્યા છે. મારી પુત્રી મિસિસ ડેામ્બી સાથે એ બાબતમાં કંઈ સંતલસમાં છે કે નહિ, તે હું જાણુતા નથી, કે તેની પરવા કરતે! નથી. પરંતુ મિસિસ ડે!મ્મીએ આજે જે કહ્યું છે અને મારી પુત્રીએ પણ સાંભળ્યું છે, તે પછી, મિ॰ કાર્કર, હું તમને મિસિસ ડામ્બીને એમ જણાવી દેવા વિનંતી કરું છું કે, તે જો મારા ઘરને આવા ઝઘડાનું કાયમી રણક્ષેત્ર બનાવી મૂકવા માગતાં હશે, તે! મારે મારી પુત્રીને પણ એ માટે જવાબદાર ગણી, તેના પ્રત્યે મારી કઠેર નાખુશી દર્શાવવી પડશે. અને તેને અર્થ શા થાય, તે મિસિસ ડેાશ્મી સમજી શકશે, એમ હું માનું છું. "" (C પણ હવે કાર્કરે પહેલી વાર જવાબ આપ્યા, “ મને એક વાત વચ્ચે કહી લેવા દે નેકે, મને એ કહેતાં દુઃખ થાય છે, અને ખાસ કરીને એટલા માટે કે, મારા મત તમારાથી જુદા પડતા દેખાશે કે તમારે છૂટાછેડાના પ્રશ્ન ઉપર ફરીથી વિચાર કરવ! જોઈએ. અલબત્ત, તમારી જાહેર પ્રતિષ્ઠાને એથી હાનિ પહેાંચે એ બરાબર છે; પરંતુ તમારે સમજવું જોઈએ કે, મિસિસ ડેામ્બી અહીં આ ઘરમાં રહેશે એટલે બધે। વખત આ ધર, તમે કહ્યું તેમ, કૌટુંબિક શાંતિને નાશ કરનાર ઝઘડાનું જ સ્થાન બની રહેશે અને સાથે સાથે મિસ ડેામ્મીની સ્થિતિ પણ તેથી નાહક ોખમાશે. એના કરતાં તે મિસિસ ડામ્બીને આ સળગતી હેાળીમાંથી મુક્ત કરવાં એ વધુ સારું નહિ? અને તમે તેમને મુક્ત ન કરા એ વસ્તુ, કેવળ તમારી પ્રતિષ્ઠા અને આબરૂને જાળવી રાખવા ખાતર, તેમની અને સૌની સુખશાંતિને ભાગ આપવા જેવું ન કહેવાય ? ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005192
Book TitleDombi and Son
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1966
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy