________________
પર
સર્વોદયની જીવનકળા ઉપર ચાલુ દબાણ લાવ્યા જ કરવું પડે, તેમનાથી તેને નિર્વાહ નહિ થઈ શકે. - આપણામાંના ઘણાને એવા માણસને પરિચય હશે, કે જેના હાથમાં આપણને આપણું હિત પૂરેપૂરું સુરક્ષિત લાગે, તથા જે આપણે વિશ્વાસને બેવફા નીવડે કે તેનો ગેરલાભ લે એમ કદી બને જ નહીં. એ માણસ રચનાત્મક નાગરિકધર્મને આદર્શ છે. કેળવણીની તમામ પદ્ધતિઓએ તથા બધા પ્રકારની સમાજ વ્યવસ્થાઓએ એવો માણસ તૈયાર કરવાનું જ લક્ષ રાખવાનું છે. જે માણસ ઉપર તેને પડોશી વિશ્વાસ ન મૂકી શકે, તેને “શિક્ષિત' જ ન ગણ જોઈએ. એ જાતના વિશ્વાસુ માણસો મોટા મોટા અધિકારના હોદ્દાઓ ઉપર જ જોઈએ એવું નથી; પણ ઔદ્યોગિક પ્રવૃત્તિના દરેક પદ ઉપર તથા દરેક કક્ષાએ જોઈએ. જ્યાં જ્યાં કાંઈ માલ પેદા થાય છે તેવા દરેક કારખાનામાં. તથા જ્યાં જ્યાં કાંઈ સેવાઓની આપ-લે થાય છે તેવી દરેક ઓફિસમાં તેવા જ માણસની જરૂર છે.
રચનાત્મક નાગરિકધર્મનું જે જાતનું સ્વરૂપ આ વ્યાખ્યાનોમાં હું રજૂ કરવા ઈચ્છું છું, તેનું ત્રિમુખી ધ્યેય હવે આપણું આગળ રજૂ થઈ ગયું છે. પ્રથમ તા, કુશળતાથી કામ કરવાની શક્તિ નાગરિકેમાં વિકસાવવી; બીજું, તે કામ જે જે પરિસ્થિતિ હેઠળ કરવામાં આવતું હોય, તે બધે ઠેકાણે ટ્રસ્ટીપણાની ભાવનાથી કામ કરવાની પદ્ધતિનો ઉપયોગ વધાર; અને ત્રીજું, સમાજના બધા વર્ગોમાં ટ્રસ્ટીપણાની ભાવના કેળવવી.
આ ત્રિમુખી ધ્યેયને અનુસરવા માટે, આપણે અત્યારે જે જાતની વસ્તુસ્થિતિ છે, જે જાતની સંસ્થાઓ છે, અને જે જાતનાં સ્ત્રી-પુરુષ છે, તેમનાથી જ શરૂઆત કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org