________________
સર્વોદયની જીવનકાળા ભૂતકાળમાં છે, જે વર્તમાન સંસ્કૃતિને ટકાવી રાખે છે, તથા ભવિષ્યમાં વધુ સારી સંસ્કૃતિ સિદ્ધ કરવાને અર્થે પ્રગતિમાન થવામાં પ્રેરણા આપે છે. .
કુશળતા, ટ્રસ્ટીપણું અને વિજ્ઞાન, આ ત્રણ શબ્દથી ત્રણ એવી એકલક્ષી બાબતો સૂચિત થાય છે કે જેમને આધારે રચનાત્મક નાગરિક ધર્મ પિતાનું કામ સાધી શકે તેમ છે. સમાજને ઉપયેગી એવા હરેક ધંધામાં કુશળતાને વિકાસ થાય, સમાજમાં ટ્રસ્ટીપણાની ભાવનાવાળી વ્યક્તિએ કેળવાય અને સંખ્યામાં વધતી જાય, તથા સમાજના વિરોધી તથા જોખમકારક સ્વાર્થો વચ્ચે મેળ સ્થાપી વિરોધને સ્થાને સહકાર સિદ્ધ કરે એવી વૈજ્ઞાનિક પદ્ધતિઓ સંપૂર્ણતાએ પહોંચે, તે જ તેનું લક્ષ્ય હેઈ શકે.
આ ત્રણે ધ્યેયે વસ્તુતાએ એકબીજામાં ઓતપ્રેત સમાયેલાં છે. દાખલા તરીકે, સંગઠનની વૈજ્ઞાનિક પદ્ધતિઓ ભલે ઊભી કરવામાં આવે, પરંતુ તે પદ્ધતિઓનો અમલ કરનાર ટ્રસ્ટીઓ જો સાથે સાથે ઊભા કરવામાં આવ્યા ન હોય, તે કશું પરિણામ ન નીપજે; કદાચ તેથી પણ ભૂડું પરિણામ નીપજે. કારણ કે, વૈજ્ઞાનિક પદ્ધતિઓનો અમલ જ્યારે બિન-ભરેસેદાર અથવા અકુશળ માણસોના હાથમાં જઈ પડે છે, ત્યારે તે સૌથી વધુ જોખમકારક બની જાય છે. વળી કાર્યકર્તાની પાસે કુશળતા હોય, પણ તેનો ઉપયોગ
જ્યાં સુધી તે જાહેર હિતના ટ્રસ્ટીની ભાવનાથી ન કરે, ત્યાં સુધી તેની કશી કિંમત નથી. અને વિજ્ઞાનની બાબતમાં તે હમણાં હમણાં આપણને તેની પ્રગતિમાં રહેલાં જોખમોની, તથા હિતકર માગે વાળી શકાય તેવી શેઠે કેવી રીતે વિનાશનાં શસ્વરૂપે વાપરી શકાય છે તેની વારંવાર ચેતવણું મળી છે. સમાજ-વિજ્ઞાનની બાબતમાં પણ તેમ જ છે. આપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org