________________
નાગરિધર્મનું વિમુખી દયેય સંસ્થાઓ, તેમને શરૂ કરવામાં આવે તે ક્ષણથી જ જીર્ણ થવા લાગે છે, જે સંસ્થાના મૂળમાં વિશ્વાસપાત્ર સેવાઓ છે, તે સંસ્થા જ કાયમ કહી શકે છે.
એ સૂત્રનું અનુસરણ કરીને, હવે, માનવસમાજની ટકી રહેવાની શક્તિનાં મને જે ત્રણ મૂળતા દેખાય છે, તેમનું હું વિવરણ કરીશ.
પહેલું તત્ત્વ તે શત્રુતા છે. સુધરેલા માણસે કુશળતાપૂર્વક કામ કરવાની ભારે શક્તિ પ્રાપ્ત કરી છે; તથા તે શક્તિ વંશપરંપરાથી તેને વારસને મળતી ગઈ છે. આપણે તેને મનુષ્યની “બુદ્ધિની શક્તિ” કહી શકીએ.
બીજું તત્ત્વ તે ટ્રસ્ટીના માવા છે. સમાજમાં મોટી સંખ્યાનાં સ્ત્રી-પુરુષમાં અમુક શ્રેષ્ઠ ગુણે એવા રહેલા હોય છે, કે જેમને કારણે તેઓ સામુદાયિક હિતની બાબતમાં ટ્રસ્ટીરૂપે વફાદારીથી વર્તે છે, તથા તેમની સેવાઓની આસપાસ તે પ્રકારની પરંપરાઓ જામતી જાય છે. આપણે તેને મનુષ્યની “નૈતિક શક્તિ” કહી શકીએ.
ત્રીજું તત્વ સંગઠન છે. તેને પરિણામે સમાજના વિરોધી સ્વાર્થોમાં મેળ સાધનાર, તથા પિતાની મેળે તે પરસ્પર વિઘાતક હેય એવા માનવ સંબંધને પરસ્પર સહકારના સંબંધોમાં બદલી નાખનારી અમુક વૈજ્ઞાનિક પદ્ધતિઓ સમાજમાં જાતી રહે છે, તથા તેઓમાં સતત સુધારણા થતી રહે છે. આપણે તેને મનુષ્યની “સંગઠનની શક્તિ” કહી શકીએ. '
કુશળતા, ટ્રસ્ટીપણું, અને વૈજ્ઞાનિક પદ્ધતિ–આ ત્રણે જ આધુનિક સંસ્કૃતિની શક્તિનાં મુખ્ય મૂળ છે. એ ત્રણે અરસપરસ એકબીજા સાથે ગાઢપણે સંકળાયેલાં છે. તે ત્રણે મળીને એક એ અમૂલ્ય વારસે બને છે કે જેની જડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org