________________
સર્વોદયની જીવનકળા લેખકના દાખલામાં જોવામાં આવ્યું છે કે, “સમાજને ગંભીર રેગ લાગુ પડ્યો છે” એવું માનતા હોવા છતાં, “લોક વડે, લોકો માટે ચલાવાતું, લોકેનું રાજ્ય’ એ જાતના પ્રજાસત્તાક રાજ્યપદ્ધતિના સિદ્ધાંતમાંથી તેમની શ્રદ્ધા જરાય ઓછી નથી થઈ હતી. પરંતુ પિતાનું ભાન ભૂલી ન બેઠે હોય એ કઈ પણ માણસ સ્વને પણ નહીં સૂચવે કે, દવાખાનાના દરદીઓએ પોતાના દાક્તરે જાતે ચૂંટવા જોઈએ, અને પિતાના રેગના ઉપચાર પણ મતગણતરી કરી બહુમતીથી નકકી કરવા જોઈએ. રેગીલો સમાજ પોતાનું તંત્ર પિતે જ સંભાળવાને કેવી રીતે શક્તિમાન ગણી શકાય? કારણ કે, રેગીલે સમાજ એટલે રોગીલા નાગરિકોનો બનેલો સમાજ; અને જેટલા વધારે રેગીલા નાગરિકોને તમે મત આપવા બોલાવો, તેટલું તેનું તંત્ર વધારે રેગીલું થવાનું. તેમની પાસે જે સ્વતંત્રતા હોય જ, તે રોગીલા મતદારે તેનો સારામાં સારે એટલે જ ઉપયોગ કરી શકે કે, તેઓ પોતાની સ્વતંત્રતા પોતાના કરતાં વધુ નીરોગીઓના હાથમાં સેંપી દે. અને ઈટાલીના સંહતિવાદીઓ તે કહે છે જ કે, લોકોને જ્યારે લાગે કે તેમનાથી પોતાની સ્વતંત્રતા સંભાળી શકાતી નથી, ત્યારે તેઓ તેને પિતાનાથી ઉત્તમ લોકોના હાથમાં સોંપી દેવા જેટલી સ્વતંત્રતા ન દાખવે, તે જાણવું કે તેઓ સ્વતંત્ર જ નથી. મિ. રસેલ અથવા મિ. ટોનીને વસ્તુસ્થિતિની આ બાજુ ખ્યાલમાં આવી હોય એમ લાગતું નથી. અલબત્ત, ડિન ઇંજની વાત જુદી છે. તે પ્રજાસત્તાક રાજ્યપદ્ધતિની બાબતમાં સિદ્ધાંતની દૃષ્ટિએ ગમે તેમ માનતા હોય, પરંતુ અત્યારે ચાલે છે તેવી પ્રજાસત્તાક પદ્ધતિને તો તે લઘુમતીઓને લૂંટવા માટેનું વ્યવસ્થિત સંગઠન જ માને છે, અને તેનાં કારણે પણ આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org