________________
સામાજિક રેશમીમાંસા સરકારે સશક્ત શરીરવાળા નાગરિકને લશ્કરમાં ભરતી થવાની ફરજ પાડવા માટે એક યા બીજા પ્રકારની સત્તાઓ અચૂક અખત્યાર કરતી. પરંતુ તે જમાનો પૂરો થઈને નવા આવેલા યંત્રોદ્યોગી જમાનામાં તો, સમાજનું અસ્તિત્વ, તેના નાગરિકોની તેને માટે જવાની તત્પરતા કરતાં તેને માટે Rામ કરવાની તત્પરતા ઉપર વધારે આધાર રાખે છે. હવે તે નાગરિકોને અસરકારક રીતે મહેનતુ કેમ કરીને બનાવવા, એ પ્રશ્ન જ મુખ્ય બની ગયું છે. કારણ કે, તેના ઉપર જ યંત્રોદ્યોગી સમાજનું ભવિષ્ય આધાર રાખે છે.
આ જગાએ જ, નાગરિકોને જવાની ફરજ પાડવામાં નવાઈભરી રીતે સફળ નીવડેલી કાયદાથી દબાણ લાવવાની પદ્ધતિ નિષ્ફળ નીવડતી દેખાય છે. કારણ કે, જે યંત્રોદ્યોગી રાષ્ટ્રના નાગરિકોને બરાબર કામ કરતા કરવા માટે બળજબરીની જરૂર હોય, તેને નાશ નિશ્ચિત છે. તેમ જ નાગરિકોને લાંચ આપીને ફેલાવવાની પદ્ધતિ પણ આ જગાએ એટલી જ નિષ્ફળ નીવડે છે. કારણ કે, નાગરિકે વહેલા યા મોડા જાણી જાય છે કે, પોતાની લાંચના પૈસા અંતે તો કરવેરારૂપે પોતે જ આપતા હોય છે. કાયદે એવું ફરમાન જરૂર કાઢે કે, જે માણસ કામ નહીં કરે, તેને ખાવાનું નહીં મળે. પરંતુ ભૂખથી ઉત્તેજિત થયેલી મનુષ્યબુદ્ધિ એ કાયદાને પોકળ ધમકરૂપ બનાવી મૂકવાના રસ્તા હંમેશાં શોધવાની. દાખલા તરીકે, નામરજીવાળા દશ લાખ માણસને એક-બે અઠવાડિયાં કે મહિના સુધી નહીં, પરંતુ વરસે વરસ–આખી જિંદગી સુધી કેલસા દવાની ફરજ પાડવી હોય, તે તે પ્રયત્નની નરી અસંભવિતતા આપણને તરત દેખાઈ આવશે. પરંતુ ભરતી કરેલ સૈનિક ગમે તેટલો નામરજીવાળો હોય, પણ તે જ્યારે જુએ કે શત્રુ તેની ઉપર બંદૂક ફેડવાની તૈયારીમાં છે, ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org