SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ - સામાજિક બાબતોમાં કાળ-ભાવના તેમનાં મકાન એવાં બંધાવાં જોઈએ કે જેથી તેઓ “ક્યામતના દિવસ સુધી ટકી રહે,” (અને કયામતના દિવસ સુધી એટલે હંમેશ), ત્યારે તેઓએ એમ જ માન્યું છે કે, હું એક હળવી મશ્કરી જ કરી રહ્યો છું. આ તબકકે હવે હું કાળ-ભાવનાથી વિચાર કરવાની પદ્ધતિ વિષે કાંઈ વિશેષ નહીં કહું; નહીં તે મારે મારા વિષયની બહાર જઈને દાર્શનિક ક્ષેત્રમાં પ્રવેશ કરે પડે. જેમ જેમ આપણે આગળ વધતા જઈશું, તેમ તેમ અસંખ્ય દાખલાઓ ઉપરથી તેનું સ્વરૂપ તમને વધુ ને વધુ સમજાતું જશે. પરંતુ જ્યારે આપણી પદ્ધતિ સામી મળે, ત્યારે તમે તેને પિછાની શકો, તે માટે હું અહીં તેનાં એક યા બે લક્ષણે જણાવતે જાઉં. તેમના વડે તમે તેને તેનાથી ભિન્ન એવી સ્થળ-ભાવનાથી વિચાર કરવાની પદ્ધતિથી અચૂક જુદી પાડી શકશે. કઈ વિચારક પિતાના વિચાર રજૂ કરવામાં કઈ જાતનાં રૂપકે વાપરે છે, તે ઉપરથી તમે સ્થળ ભાવનાના ક્ષેત્રમાં છે કે કાળ-ભાવનાના, તે નક્કી કરી શકશે. એટલે પ્રથમ તે તેણે ચક્ષુરિન્દ્રિય પાસેથી ઉછીનાં લીધેલાં રૂપકો તરફ નજર કરે. એ રીતે, ફિલસૂફીનું એક પુસ્તક ઉઘાડતાં, મનુષ્યની સમજશક્તિ બાબત તેમાંથી નીચેની વ્યાખ્યા મળીઃ “વસ્તુને સમજવી એટલે તે આવશ્યક છે એમ નવું.” પરંતુ “જેવું” શા માટે? અલબત્ત, એ ભાષાનું રૂપક છે; પરંતુ ચક્ષુરિંદ્રિયનું જ રૂપક શા માટે પસંદ કર્યું? વસ્તુને સમજવી એટલે તે આવશ્યક છે તેમ “સાંભળવું શા માટે નહીં ? “ચાખવું” શા માટે નહીં? કે “સુંઘવું” શા માટે નહીં? આવશ્યક” શબ્દને ઉપગ પણ સ્થળ-ભાવનાથી વિચાર કરનાર સામે આવે ત્યારે તેને ઓળખી કાઢવાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy