SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વોદયની જીવનકળ કિયાઓનું મૂળ એક જ છે, એમ મારું માનવું છે. સ્થળભાવનાથી જ વિચાર કરવાની શક્તિને હદ બહાર વિકાસ, અને કાળ-ભાવનાનું અતિશય ઠીંગળાઈ જવું અથવા તે જીર્ણ થઈ જવું, તેની જ એ બંને ક્રિયાઓ ઉદાહરણરૂપ છે; તથા તેમાંથી ઉદ્ભવેલી પણ છે. બંને ક્રિયાઓ રચનાત્મકતા અને દેખાવ કરે છે, તથા “રચનાત્મકતાની ભાષા વાપરે છે; પરંતુ, રચનાત્મક નાગરિકધર્મ એ બેમાંથી એકે વડે ચરિતાર્થ ન થઈ શકે. આપણું તકલાદી બાંધકામ કરનારાઓ પણ સ્થળની દૃષ્ટિએ પિતાના કામકાજનો વિચાર કરવામાં પાવરધા હોય છે ઘર આટલાં મોટાં હોવાં જોઈએ, તેમની સંખ્યા આટલી હોવી જોઈએ, તેમની કિંમત આટલી પડવી જોઈએ, તેમના પ્લાન આવે આ હેવો જોઈએ, –એવાં બધાં સ્થળ પદ્ધતિનાં લેખાં તે માંડશે. પરંતુ એ બાબતમાં કાળની રીતે જે વિચાર કરવું જોઈએ, કે એ બાંધકામને ગુણ કેવો હશે, તે વિષે આપણે ભાગ્યે જ કશું સાંભળવા પામીએ છીએ. મેં રહેઠાણોના પ્રશ્નને લગતી કમિટીએ તથા જાહેરસભાઓમાં હાજરી આપી છે; પરંતુ ક્યાંય એ વિષયને બહુ ઉલ્લેખ કરાયેલે મને યાદ નથી. અને જ્યારે જ્યારે બાંધકામનો ગુણ એ પ્રથમ વિચારવા જેવી વસ્તુ છે એવી મેં વકીલાત કરી છે, ત્યારે એમ જ માની લેવામાં આવ્યું છે કે, હું કઈક નવું ઘેલું – “ફંડ” આગળ ધરું છું. અને એમ બને તેમાં નવાઈ નથી. કારણ કે, પાલમેન્ટની આમની સભા, મજૂર-મહાજને, ભાષણિયાઓ, મતદારો કે મત ઉઘરાવનાર એ બધા જ માટે ભાગે સ્થળ-ભાવનાથી જ વિચાર કરનારા હોય છે; એટલે, તેમને એ પ્રશ્નની આ બાજુમાં રસ જ હેતું નથી. જ્યારે આ કમિટીઓને કાર્બાઈલના શબ્દ ટાંકીને જણાવ્યું છે કે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org WWW
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy