________________
સર્વોદયની જીવનકળા કારણ કે, આજે રજૂ કરવામાં આવતા “કાર્યક્રમને તે, આપણે બધા જાણીએ છીએ કે, અમલમાં ન મુકાવાની જ ખાસિયત હોય છે. પ્લેટોથી માંડીને મિ. એચ. જી. વેલ્સ* સુધીમાં વીતેલા લાંબા જમાનાઓ તપાસતાં પણ તેથી ઊલટ એકેય દાખલે હું યાદ લાવી શકતું નથી. અને નવી સામાજિક વ્યવસ્થાની વાત કહું તે, જીવતા મનુષ્યશરીર માટે નવું હાડપિંજર રચવાની જેમ, કે રુધિરાભિસરણની નવી પદ્ધતિ ઊભી કરવાની જેમ, નવી સમાજવ્યવસ્થા રચી કાઢવાને માટે પણ હું મારી જાતને અસમર્થ માનું છું. તથા ખાતરીઓની વાત કરીએ તો, એ તે દરેક ભાષણિયાની એકમાત્ર મૂડી છે. એનું કામ એક બાજુ પોતે પૂરી પાડી ન શકે તેવી ખાતરીઓ આપવી, અને બીજી બાજુ પોતે પોતાના મતદાર-વિભાગમાં છેલ્લું વ્યાખ્યાન આપતી વખતે જે ખાતરી આપી હોય, તે પૂરી ન પાડી શકવા માટે પિતાના પ્રતિપક્ષીને ગાળો ભાંડવી, એ બે વચ્ચે જ વહેંચાયેલું રહે છે.
આ વ્યાખ્યાનમાં આપણે તો આપણી સંસ્કૃતિને સતત ચાલતું એવું એક જોખમભર્યું સાહસ ગણવાના છીએ, કે જેનું ફળ અનિશ્ચિત છે. તે સાહસને તેમાં ભાગ લેનારા નાગરિકે એ વ્યક્તિશઃ તેમ જ સામુદાયિક રીતે પોતાની કુશળતા અને વીરતા અનુસાર પાર પાડવાનું છે. તેમાં એક જ વાતની નિશ્ચિત રીતે “ખાતરી” આપી શકાય તેમ છે; અને તે છેવટ સુધી કઠોર પરિશ્રમ અને ભીષણ સંગ્રામ
* પુસ્તકમાં કૂદડીવાળા શબ્દો છે તે બધા ઉપર પુસ્તકને અંતે સેંધ છે, એમ સમજવું. જે પાનમાં એ શબ્દ હોય, તે પાનની સંખ્યા અંતે સેંધના પાનને મથાળે પણ બતાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org