________________
પ્રાસ્તાવિક રચનાત્મક નાગરિકધમ”—એ જાતના આ વ્યાખ્યાનોના નામ ઉપરથી, પહેલી નજરે એમ લાગવાને સંભવ છે કે, આજે ફૂટી નીકળેલા અનેક નવી દુનિયા રચનારાઓની પેઠે હું પણ સમાજવ્યવસ્થાની કેઈ નવી જના લઈને આવ્યો છું. પિતાની મેળે સૃષ્ટિકર્તાની પદવી પચાવી પાડનારા આ જાતના નવી દુનિયા રચનારાઓને ધંધે એટલે ભરચક થઈ ગયું છે કે, તેમાં ન આવનારે બિનજરૂરી ઘુસણિયે મનાય, અને તેને “ઈંટના રેડા”થી સત્કાર થાય તે નવાઈ નહીં. એટલે મેં મારાં વ્યાખ્યાનનું મથાળું પસંદ કરવામાં સાહસ કર્યું છે, એમાં શંકા નથી. પરંતુ મને એવી આશા છે કે, જ્યારે તમે મારા આ પ્રયત્નનું સાચું સ્વરૂપ જાણશે, ત્યારે જે ઉત્પાત મેં મારી ઉપર તરી લીધું છે, તે તદ્દન દૂર નહીં થાય, પણ હળવે તે થશે જ. - કારણ કે, હું અહીં જે રજૂ કરવા માગું છું, તે એક કાર્યક્રમ નથી, પણ પદ્ધતિ છે; તે કોઈ નવી સામાજિક વ્યવસ્થા નથી, પણ ભાવના છે; તેમાં વિજયની ખાતરી નથી, પણ પ્રયત્નશીલ થવાનું પ્રયોજન છે. મારું ચાલે તે હું તમને સર્વ પ્રકારના સામાજિક “કાર્યક્રમ', “વ્યવસ્થાઓ કે “ખાતરીઓ” તરફથી થોડાક બાજુએ વાળી, તેમના કરતાં જે વસ્તુઓને હું વધુ અગત્યની માનું છું, તે તરફ લક્ષ આપવાને સમજાવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org