SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ સર્વોદયની જીવનકળા પણ મળતી નથી. તે ડખ્વીનમાં જન્મ્યા હતા. તેના પિતા ત્યાં વકીલ તરીકે કામકાજ કરતા હતા. તેના પિતા પ્રેટેસ્ટંટ-પથી હતા, પણ તેની માતા રામનકેથલિક હતી, અને તેના શરૂઆતના શાળાશિક્ષક વેકર સંપ્રદાયના હતા. આની અસર એ થઈ કે, ખ પહેલેથી જ ધાર્મિક બાબતેામાં ઉદારમતવાદી બન્યા. ૧૭૪૮માં ટ્રિનિટી કોલેજની પદવી લઈને બે વર્ષ બાદ તે લંડનમાં કાચદાના અભ્યાસ કરવા આવ્યે; પરંતુ કાયદાશાસ્ત્રો થવાને બદલે સાહિત્યપ્રવૃત્તિમાં પડવાનું તેનું વલણ વધતું ગયું. ૧૯૫૫માં તેના પિતાએ તેના આ જાતના ઢચુપચુપણાથી ત્રાસી, તેને ખર્ચની રકમ માલવાની બંધ કરી. આથી પેાતાની આવિકા ચલાવવાના ખાજે તેના ઉપર આવી પડયો. ૧૭૫૬માં તેણે પેાતાનું પ્રથમ પુસ્તક પ્રસિદ્ધ કર્યું; તે પુસ્તકે સાહિત્યક્ષેત્રમાં તરત ધ્યાન ખેંચ્યું . અને તે જ વર્ષે બહાર પડેલા તેના ખીન્ન પુસ્તકે તેા તેની કીર્તિ ઊંચી કક્ષાએ સ્થાપિત કરી દીધી. ૧૯૫૬ના અંતમાં તે પરણ્યા, અને તેને મે પુત્ર થયા. ૧૭૫૬ સુધીમાં તેના રાજકારણી વિચારો બધાઈ ચૂકયા, અને તેનું મન કલ્પનાક્ષેત્રને છેડી, તેના જમાનાના રાજકીય અને આર્થિક પ્રશ્નોના ઉકેલ તરફ વળ્યું. ૧૭૬૫માં તે વેન્ડોવર તરફથી પાઈમેટના સભ્ય તરીકે ચૂંટાયા, અને ત્યારથી તેની સીધી રાજકીય પ્રવૃત્તિ શરૂ થઈ. તેણે પેાતાનું પ્રથમ વ્યાખ્યાન અમેરિકાના પ્રશ્નો બાબત ર્યું, અને તેમાં તેણે પાતાના પક્ષ કરતાં જુદા જ વિચારીશ રજૂ કર્યા. કુશળ વક્તા તરીકે તેની કીર્તિ તરત જામી ગઈ; અને પામેટા તે સૌથી વધુ શક્તિશાળી વક્તા ગણાવા લાગ્યા. ૧૭૬૬માં રેકિંગહામનું પ્રધાનમંડળ ઊથલી ગયું, ત્યાર પછી ખીજા પ્રધાનમંડળ હેઠળ એક હોદ્દો તેને આપવામાં આવ્યા; પણ પેાતાના પક્ષ પ્રત્યેની વફાદારીના તીવ્ર ખ્યાલેાને કારણે તેણે તે સ્વીકારવા ના પાડી. ૧૭૭૦માં તેણે વર્તમાન અસતાષા વિષે એક પુસ્તક લખ્યું. તેમાં તેણે લેાકેાની ફરિયાદનું અચ્છું નિરૂપણ કર્યું; તથા સાબિત કર્યું કે, વાંક લેાકાના નથી પણ રાજ્યતંત્રના છે. ૧૭૭૨માં તે ફ્રાંસ જઈ આવ્યા, અને ૧૭૭૪ થી તેનું ફોકસ સાથેનું સુપ્રસિદ્ધ જોડાણ શરૂ થયું. તેણે હિંદુસ્તાનના પ્રશ્નો તરફ ધ્યાન આપવા માંડવું, અને ફીસનું ઇંડિયાબિલ ઘડવામાં તે માટે ભાગે જવાબદાર હતા. પીટના પ્રધાનપદ્મ દરમ્યાન ખકે હેસ્ટિંગ્સ સામે મુમાની ઝુપ્તેશ ચલાવી. ૧૭૮૮માં ખકે તે બાબતનું પાતાનું સુપ્રસિદ્ધ વ્યાખ્યાન કર્યું. જોકે, ૧૭૯૫માં હોસ્ટિંગ્સ નિર્દોષ છૂટી ગયા. ૧૯૮૯માં ફ્રેંચ ક્રાંતિ ફાટી નીકળી. તેને વિષે ખર્કના અભિપ્રાય સારી ન હતા, અને તે તેણે તે વિષેના પેાતાના રિફ્લેક્ષન્સ' પુસ્તકમાં Jain Education International . For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy