________________
ટિપ્પણ પા. ૧૦૨ સ્વાતંત્ર્યની પ્રાપ્તિને યુગ”, “તે યુગ કે જેમાં માનવ જાતિના આત્માએ સ્વભાવ તથા આત્મનિર્ણયની શક્તિ પ્રાપ્ત કર્યા, કળા દ્વારા બાહ્ય જગત અને શરીરની સુંદરતા ઓળખી, બુદ્ધિને વિજ્ઞાનમાં મુક્ત કરી, ધર્મમાં અંતરાત્માને મુક્ત કર્યો, અને રાજકીય સ્વાતંત્ર્યને સિદ્ધાંત સ્થાપિત કર્યો.” કેટલાક તેને
વ્યક્તિવાદના વિજયનો યુગ કહે છે, મધ્યયુગમાં રૂઢિ અને રાજ્યસત્તા તથા ધર્મસત્તા પ્રત્યેની તાબેદારીની ભાવનાએ સંગઠન અને કેદ્રિતતા વધારી મૂક્યાં હતાં. આખું યુરેપ પિપ કે સમ્રાટ, અથવા પિપ અને સમ્રાટની સત્તા હેઠળ સંગઠિત થયેલા ખ્રિસ્તી સંઘની ભાવના સેવતું હતું. આ યુગ પછી બધું બદલાઈ ગયું. અને તેની અસર જીવનના દરેક ક્ષેત્રમાં પડી. લોકો અચાનક જીવનના આનંદ પ્રત્યે જાગી ઊઠડ્યા, અને પરિણામે જે ઇહલૌકિકતાનું પૂર ઊછળ્યું, તે કેઈ કોઈ જગ્યાએ તો ભારે વિનાશક નીવડ્યું.
પા. ૧૦૨ વરસાઈની સંધિઃ ૧૯૧૪-૧૮ના પ્રથમ યુરોપીય મહાયુદ્ધને અંતે એક બાજુ ઈગ્લડ-કસિ વગેરે મિત્ર રાજ્ય, તથા બીજી બાજુ જર્મની અને તેના પક્ષનાં રાજ્યો વચ્ચે જે સંધિ ક્રાંસમાં વરસાઈ મુકામે થઈ, તે આ નામે ઓળખાય છે. એ સંધપત્રનો શરૂઆતને અર્ધો ભાગ રાષ્ટ્રસંઘની સ્થાપના બાબત છે. (જુઓ પા. ૨૦ ઉપરનું ટિપ્પણ.) અને બાકીના ભાગમાં, જર્મનીએ ક્યા કયા મુલકે ઉપરની રાજસત્તા જતી કરવાની, કયા કયા મુલકો સાથે સંબંધ નહીં બાંધવાને, સાર્વત્રિક લશ્કર-તાલીમને ત્યાગ કરવાને, એક લાખ માણસનું જ લકર રાખવાનું, નાનું નૌકાસૈન્ય રાખવાનું, લકરી વિમાન, સબમરીને, મેટી તો અને ટેન્ક નહીં રાખવાનાં, શસ્ત્રસરંજામના કારખાનાં તોડી નાખવાનાં, રહા ઈનલેંડ પ્રાંત ૧૫ વર્ષ મિત્રરાજ્યોને તાએ રાખવાને, સાર પ્રાંત ૧૯૩૫ સુધી આંતરરાષ્ટ્રીય હકૂમત તળે રાખવાને અને પછી લોકમત લઈને તેનું ભાવી નક્કી કરવાનું, જર્મન નદીઓ આંતરાષ્ટ્રીય હકૂમત નીચે મૂકવાની, જર્મન સંસ્થાનો મિત્ર રાજ્યોએ વહેચી લેવાના, યુદ્ધની તમામ જવાબદારી જર્મની ઉપર નાખી તેની પાસેથી સૌની નુકસાની ભરપાઈ કરી લેવાની, વગેરે બાબતો આવે છે.
આમાંથી નુકસાનીની રકમ ઓછી કરતાં કરતાં ૧૯૩૨માં સમૂળગી રદ કરવામાં આવી, અને રહાઈનલૅન્ડ ૧૯૩૦માં અકાળે ખાલી કરી દેવામાં આવ્યો. આ ફેરફારે વાટાઘાટેથી કરવામાં આવ્યા હતા. બાકીનું બધું હિટલરે સત્તા ઉપર આવ્યા પછી ધીમે ધીમે રદ કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org