________________
૨૦૦
સક્રિય જીવનકળા
ચળવળ શરૂ થઈ. લ્યૂથરને પાપે ધબહાર કર્યાં. લ્યૂથરને ઘણું સહન કરવું પાચુ, પરતુ અંતે તેને મત વીજયી નીવડચો. અને પ્રેટેસ્ટટ પંથ કાચમના બન્યા. ( પ્રોટેસ્ટંટ એટલે પાપની સત્તા સામે વિરોધ ઉઠાવનાર.)
પા. ૭૧ : અંધારયુગઃ યુરોપીય સંસ્કૃતિ અને ઇતિહાસના ઈ. સ. ૫ મા થી ૧૫મા સૈકા સુધીના ગાળા સામાન્ય રીતે મયુગ અથવા તે અધારયુગ ગણાય છે. બ્લેકે ઈ. સ. ૧૦૦૦ થી પુનરુત્થાનના યુગ સુધીના ગાળાને આ નામથી વધારે ઉલ્લેખવામાં આવે છે. ઈ. સ. ૧૦૦૦ ના વ પહેલાંના ગાળાને મધ્યયુગના પ્રારંભિક ભાગ ગણવામાં આવે છે, અને તે પછીના ગાળાને અંતિમ ભાગ ગણવામાં આવે છે. ઈ. સ. ૫૦૦ માં યુરેપ ઉપર જંગલીઓનાં ટાળાં ફરી વળ્યાં. શામેનના રાજ્યાભિષેકના સમયથી (ઈ. સ. ૮૦૦) · પવિત્ર રામન સામ્રાજ્ય ’ના મધ્યયુગીન ખ્યાલ શરૂ થયેા; રાજસત્તા ધરાવનાર સમ્રાટ અને ધર્મસત્તા ધરાવનાર પેાપ એ એ જ આખી દુનિયાના ધણીરણી થઈ બેઠા. સમ્રાટ લૌકિક ખાખતામાં સર્વસત્તાધીશ ખની ખેડા, અને ૫૫ આધ્યાત્મિક બાબતેામાં.
સામાન્ય રીતે મધ્યયુગના શરૂઆતના ભાગને, એટલે કે ઈ. સ. ૪૭૫ માં રોમન સામ્રાજ્યના પતનથી માંડી, પછીના ૭૦૦ વર્ષના ગાળાને પણ અંધારયુગ નામ આપવામાં આવે છે. જીએ આ પછી પા. ૭૧ ઉપરનું ટિપ્પણ ' જ્ઞાનના પુનરુત્થાનના યુગ.’
પા. ૭૧: જ્ઞાનના પુનરુત્થાનના યુગ : યુરોપના અર્વાચીન સ્વરૂપને ઘડવાને પ્રારંભ કરનારી અગત્યની હિલચાલના સમયને આ નામ આપવામાં આવે છે. ૧૪૫૩માં કાન્સ્ટટિનોપલ તુ લેાકાએ જ્યું, એટલે ત્યાંના ગ્રીક પડિતા પાતાનાં પુસ્તકા લઈ ઇટલીના કિનારા તરફ નાઠા. ત્યાં તેમને સારો સત્કાર થયા. ત્યાંથી તેએ આખા યુરોપમાં પસર્યાં, અને લેાકાને ગ્રીક ફિલસૂફી અને સાહિત્ય ભણાવીને આજીવિકા ચલાવવા લાગ્યા. પરિણામે અંધારયુગ દરમ્યાન લેાકાની દૃષ્ટિ ઉપર વ્યાપેલાં આવરણ તૂટવા લાગ્યાં, અને જ્ઞાન તથા સ્વતંત્ર વિચારના ખ્યાલે લેાકાના દિલમાં નગ્રત થયા. આ વસ્તુની અસર જીવનના દરેક ક્ષેત્રમાં — ધર્મ, કળા, સાહિત્ય, પ્રકૃતિવિજ્ઞાન, રાજકારણ અને નીતિનિયમે ઉપર પણ થઈ.
જુદા જુદા લેખકે ખુદા જુદા દૃષ્ટિબિંદુથી તે “ પરિસ્થિતિના નિયંત્રણમાંથી વ્યક્તિને મુક્ત કરનાર યુગ,
યુગને
""
Jain Education International
For Private & Personal Use Only
(8
વર્ણવે છે.
સ્વમાનવાળા
www.jainelibrary.org