________________
૨૭૬
સર્વોદયની જીવનકળા પરંતુ યહૂદીઓ વારંવાર તે કરાર તોડતા અને પરિણામે પરમેશ્વર તેમને તેમના સ્વર્ગીય મુલક (પેલેસ્ટાઈન)માંથી હાંકી કાઢી, તેમને દુઃખમાં નાખી, તેનું વેર લેતા. તે વખતે તેમનામાં પેગંબર ઊભા થતા, અને તેઓ લોકોને તેમનાં પાપ બતાવી, તેમનું પ્રાયશ્ચિત્ત કરાવી, તેમને પરમેશ્વર સાથે તેમને કરાર યાદ કરાવતા. લોકે સદાચારી થતાં પાછા તેમને તેમને ગયેલો મુલક પાછો મળતો, અને તેઓની સમૃદ્ધિ તેમને પાછી પ્રાપ્ત થતી. “ઈઝરાયેલ” એટલે ચહૂદી કોમ.
પા. ૬૭ ઈડનનું જ્ઞાનવૃક્ષ, સેતાન, આદ્ય માત-પિતાઃ બાઇબલમાં સૃષ્ટિની ઉત્પત્તિની કથા છે. ઈશ્વરે પૃથ્વી સરછ ને છઠે દિવસે તેમાં પશુપંખી વગેરે ઉત્પન્ન કર્યા. છેવટે મનુષ્યને સરળે, અને તેને સૌ ઉપર પ્રભુત્વ આપ્યું.
પ્રભુ પોતાનું સર્જન જોઈને ખુશ થયા, અને બોલ્યો, “આ બધું ઉમદા સર્જન છે.
આ પ્રત્યક્ષ દુનિયા ઉપરાંત પરમેશ્વરે ફિરસ્તાઓની અપ્રત્યક્ષ દુનિયા સરજી. ફિરસ્તાઓ ભલા અને સુખી હતા. પરંતુ તેઓ બધા એ સ્થિતિમાં રહ્યા નહીં. કારણ, તેમનામાં સ્વતંત્ર ઇચ્છાશક્તિ હોવાથી, તેમાંના ઘણા પરમેશ્વરની કૃપા
ઈ બેઠા અને દુરાચારી બની ગયા. તેઓએ ઈશ્વર સામે પણ બળવો કર્યો. લુસફર (સેતાન) તેમનો આગેવાન થયું. તેમણે કહ્યું, “આપણે એ સર્વોચ્ચ (પરમાત્મા) જેવા થઈશું, આપણે આપણું સિંહાસન તારાઓની પણ ઉપર સ્થાપીશું.” પછી સ્વર્ગમાં ભારે વિગ્રહ જામ્યો. માઈકલ અને બીજા ફિરસ્તાઓ ઈશ્વરને વફાદાર રહ્યા. તેમણે આ બળવાખોરે સામે યુદ્ધ આદર્યું. તેમને હરાવીને સ્વર્ગમાંથી ધકેલી મૂકવામાં આવ્યા. જેઓ વફાદાર રહ્યા તેમને સનાતન સુખ બક્ષવામાં આવ્યું, અને તેઓ સ્વર્ગમાં ઈશ્વરનું મુખારવિંદ કાયમ જોઈ શકે છે.
જ્યારે ઈશ્વર માણસને સરજતો હતો ત્યારે તેણે કહ્યું, “હું માણસને મારી પ્રતિકૃતિરૂપ સરજીશ, અને તેને આખી પૃથ્વીમાં સૌ પ્રાણુઓ ઉપર પ્રભુત્વ આપીશ.” પછી તેણે માટીમાંથી માણસ ઘડ્યો અને તેના નસકેરામાં શ્વાસ પૂર્યો. ઈશ્વરે મનુષ્યના હૃદયમાં પવિત્ર આત્મભાવ પૂર્યો, જેથી તે સહજ રીતે ઈશ્વરમય રહે. પછી ઈશ્વરે માણસ માટે ખાસ એ એક સ્વર્ગીય બગીચો સરજે. તેમાં બધી જાતનાં સુંદર વૃક્ષે હતાં અને તેમને સ્વાદુ ફળ બેઠેલાં હતાં. તે બગીચાની મધ્યમાં જીવનવૃક્ષ હતું તથા સાર – ખોટાના વિવેકજ્ઞાનનું વૃક્ષ હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org